Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસ સ્ટેશન કે ગુનેગારોનું શરણાગતિ ધામ? જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે ન્યાય કોની પાસે માંગવો?કેશોદ ફેમિલી કોર્ટનો ઐતિહાસિક ચાબખો: કાયદાને ઘોળીને પી જનારા ખાખીધારીઓ સામે એફ.આઈ.આર. (FIR) નો આદેશ

પોલીસ સ્ટેશન કે ગુનેગારોનું શરણાગતિ ધામ? જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે ન્યાય કોની પાસે માંગવો?કેશોદ ફેમિલી કોર્ટનો ઐતિહાસિક ચાબખો: કાયદાને ઘોળીને પી જનારા ખાખીધારીઓ સામે એફ.આઈ.આર. (FIR) નો આદેશ

Our Visitor

006150
Total Users : 6150
Total views : 7337
Who's Online : 1

પોલીસ સ્ટેશન કે ગુનેગારોનું શરણાગતિ ધામ? જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે ન્યાય કોની પાસે માંગવો?કેશોદ ફેમિલી કોર્ટનો ઐતિહાસિક ચાબખો: કાયદાને ઘોળીને પી જનારા ખાખીધારીઓ સામે એફ.આઈ.આર. (FIR) નો આદેશ

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

જ્યારે સમાજની સુરક્ષા અને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ જ ગુનેગારોના વકીલ બનીને કોર્ટને ગેરમાર્ગે દોરવા લાગે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ અને સામાન્ય માણસના ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જાય છે. પોરબંદર જિલ્લામાં બનેલી આ શરમનાક ઘટનાએ સાબિત કરી દીધું છે કે સત્તાના નશામાં ચૂર કેટલાક પોલીસ અધિકારીઓ ગરીબ, લાચાર અને પીડિત મહિલાઓના ન્યાયની આહુતિ આપતાં પણ અચકાતા નથી.

પરંતુ, કેશોદ ફેમિલી કોર્ટે કાયદાની હત્યા કરનારા આવા ભ્રષ્ટ અને બેદરકાર પોલીસ અધિકારીઓ સામે લાલ આંખ કરીને સમાજમાં એક મજબૂત દાખલો બેસાડ્યો છે.

🚨 સત્તાનો દુરુપયોગ અને ખાખી પર લાગેલું કલંકભરણપોષણ માટે વલખાં મારતી એક લાચાર મહિલા માયાબેનના કેસમાં કોર્ટે કસૂરવાર પતિ સામે સજાનું વોરંટ જાહેર કર્યું હતું. આ વોરંટની બજવણી કરવાની ફરજ કુતિયાણા પોલીસની હતી. પરંતુ ફરજ નિષ્ઠાને નેવે મૂકીને, કુતિયાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. વાળા અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજાએ કોર્ટને લેખિતમાં એવું જુઠ્ઠાણું પીરસ્યું કે “આરોપી મળતો નથી!”

કાયદાની મજાક તો ત્યારે ઉડી જ્યારે કોર્ટ સમક્ષ એવા સજ્જડ વિડીયો પુરાવા રજૂ થયા, જેમાં આરોપી પોલીસની નજર સામે જ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં આરામથી બેઠેલો જોવા મળ્યો હતો! જે આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર હોય, તેને “ફરાર” બતાવીને પોલીસે ન્યાયતંત્રની આંખમાં ધૂળ નાખવાનો હીન પ્રયાસ કર્યો.

🛡️ જ્યારે SP કક્ષાના અધિકારી પણ ગુનેગારોના ‘કવચ’ બન્યા!આ સમગ્ર કૌભાંડમાં સૌથી વધુ આઘાતજનક અને ચિંતાજનક બાબત એ છે કે, પોરબંદર જેવા જિલ્લાના જવાબદાર SP (સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) અને હેડ ક્વાર્ટર DySP એ પોતાના તાબાના ભ્રષ્ટ કર્મચારીઓ પર કડક પગલાં લેવાને બદલે, તેમને બચાવવા માટે કોર્ટમાં ખોટો અને બનાવટી બચાવ અહેવાલ રજૂ કરી દીધો!જ્યારે એક SP કક્ષાનો પબ્લિક સર્વન્ટ ગુનેગારોને આશ્રય આપનારા પીઆઈ અને કોન્સ્ટેબલની વહારે થાય, ત્યારે સ્પષ્ટ થાય છે કે સિસ્ટમ અંદરથી કેટલી સડી ચૂકી છે. આ સામાન્ય બેદરકારી નથી, પરંતુ સત્તાવાર પદનો દુરુપયોગ કરીને કાયદાની સરેઆમ હત્યા કરવાનો સંગઠિત ગુનો છે

⚖️ કોર્ટનો હથોડો: “કાયદાથી ઉપર કોઈ નથી”કેશોદ ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ પી.એચ. સિંહે ન્યાયતંત્રની ગરિમાને સર્વોપરી રાખીને પોરબંદર SPના ખોટા રિપોર્ટને ફગાવી દીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે:

પી.આઈ. એમ.ડી. વાળા,

હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા,

હેડ ક્વાર્ટર DySP

સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ તાત્કાલિક ગુનાહિત કાવતરું રચવા અને સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવા બદલ FIR દાખલ કરવામાં આવે.

📢 સમાજ અને પોલીસ તંત્ર માટે બોધપાઠઆ ચુકાદો એ તમામ ભ્રષ્ટ અધિકારીઓ માટે કાનૂની લપડાક છે જેઓ માને છે કે ખાખી વર્દી પહેરી લીધા પછી તેઓ કાયદાથી ઉપર થઈ જાય છે. ગરીબ અને લાચાર લોકોના હક્કો છીનવીને ગુનેગારોને છાવરતા અધિકારીઓને હવે જેલના સળિયા ગણવાનો વખત આવ્યો છે. ન્યાયતંત્રના આ કડક વલણથી સમાજમાં ફરી એકવાર વિશ્વાસ બેઠો છે કે – “ન્યાય મોડો મળી શકે, પણ અન્યાય કરનાર ગમે તેટલો વગદાર હોય, કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં.”


પોલીસ સ્ટેશન કે ગુનેગારોનું શરણાગતિ ધામ? જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે ન્યાય કોની પાસે માંગવો?કેશોદ ફેમિલી કોર્ટનો ઐતિહાસિક ચાબખો: કાયદાને ઘોળીને પી જનારા ખાખીધારીઓ સામે એફ.આઈ.આર. (FIR) નો આદેશ

Related posts

અંબાજી/ દાંતા અંબાજી માર્ગ પરના ત્રિશુળિયા ઘાટ નજીકની ઝાડીઓમાં એક યુવાનની ઝાડ પર લટકતી લાશ મળી, હત્યાં કે આત્મહત્યા પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

અમદાવાદના વટવામા ધીંગાણુ, તલવાર, લોખંડના પાઈપ થી ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા, વટવા પોલીસે કરી બે લોકોની અટકાયત ઇસનપુરના પોલીસકર્મીની સંડોવણી

Phone: 9998685264.

જોજો હો જતા નહી ધક્કો પડશે, કેન્દ્ર શાસિત દીવ-દમણમાં આ 6 દિવસ ‘ડ્રાય ડે’ રહેશે, તારીખ નોંધી લો

Phone: 9998685264.

Leave a Comment