
સમગ્ર રાજ્યમાં આપઘાત (Suicide) ની ઘટનાઓમાં સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા અમરેલી (Amreli) માંથી સામે આવી છે.અમરેલીમાં આવેલા સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા યુવકે આજે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક યુવાનના પાકિટમાંથી બે સુસાઈડ નોટ મળી આવી છે.
સુસાઈડ નોટમાં મૃતક યુવાને પોતાના માતા-પિતાની માફી માગી છે. ઘટનાની જાણ થતા પોલીસ તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી અને મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી છે. જેની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે જિંદગી ટૂંકાવી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી કલેકટર કચેરીના પાછળના ભાગે આવેલી સાંસદ નારણ કાછડિયાની સમૃદ્ધ નાગરિક શરાફી મંડળીમાં નોકરી કરતો આશિષ બગડા નામનો યુવક કાલે સવારે નોકરી પર આવ્યો હતો. ત્યારબાદ બાજુની ઓફિસમાંથી તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા આશિષનો ફોન બંધ આવતા અન્ય કર્મચારીઓ શરાફી મંડળીની ઓફિસમાં તપાસ માટે ગયા હતા. ત્યારબાદ આશિષની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ સમગ્ર ઘટના અંગે અમરેલી પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની શક્યતા જોવા મળી રહી છે. હાલમાં પોલીસે વધુ માહિતી મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. મૃતકના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પોહચી ગયા હતા.






Total Users : 9766
Total views : 11432
Who's Online : 0