Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

Our Visitor

009932
Total Users : 9932
Total views : 11622
Who's Online : 1

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમરેલી જીલ્લાના ચલાલામાં કરુણ ઘટના બની છે અહીંની હરિધામ સોસાયટીમાં એક માતાએ પોતાની ૨ પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરી સામુહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ઘરકંકાસના કારણે બે બાળકીઓ સાથે સુસાઇડ કર્યું હોવાનું પોલિસ તપાસમાં સામે આવ્યું છે એક સાથે એકજ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચલાલાના હરિધામ સોસાયટીના એક મકાનમાં ધુમાડાના ગોટે-ગોટા નીકળતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું અને આસપાસના લોકોએ મકાન માલિક અને મૃતક મહિલાના પતિ ભરતભાઈ દેવમુરારીને જાણ કરી હતી અને ત્યાર બાદ ઘરનું દરવાજો અને આગ લાગવાનું સ્થળ બેડરૂમમાં પહોંચ્યા હતા અને દરવાજો ખોલતાની સાથે જ ભરતભાઈ દેવમુરારીના પત્ની સોનલબેન દેવમુરારી(ઉ.વ.૪૦) તેમજ તેમની બે પુત્રીઓ હિતાલી તેમજ ખુશી(ઉ.વ.૩ માસ) ખરાબ રીતે દાઝી ગયેલી હાલતમાં મળ્યા હતા અને અને ત્યાર બાદ સ્થાનિકોએ ફાયરની ગાડી પંહોચે તે પહેલા જ આગ પર કાબુ મેળવ્યો હતો અને આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી તેમજ મામલતદાર અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્રણેયની લાશને પીએમ માટે ચલાલાના સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

Related posts

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની સેક્સયુઅલ મનોવૃત્તિ ના કારણે મહિલા કાર્યકર્તાઓ હેરાન પરેશાન અને બદનામ થાય એના કરતા નેતાજીને સસ્પેન્ડ કરવામાં આવે!વંદના પટેલનો ગંભીર આક્ષેપ?

Ritesh Parmar

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

Ritesh Parmar

જૂનાગઢ/માખીયાળામાં પોતાના ઘરમાં સુતેલા વ્યક્તિ ઉપર હુમલો કરી 20 લાખથી વધુની લૂંટમાં જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચ અને તાલુકા પોલિસને મળી મોટી સફળતા, 2 ને દબોચ્યાં એક મહિલાની પણ સંડોવણી

Ritesh Parmar

Leave a Comment