Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર : પોલીસ કર્મીઓના પગારમાં થશે વધારો : 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર : પોલીસ કર્મીઓના પગારમાં થશે વધારો : 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 0

ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર : પોલીસ કર્મીઓના પગારમાં થશે વધારો : 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પોલીસ કર્મીઓના પગારમાં હવે વધારો થશે. 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું છે. તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું છે.
પોલીસ કર્મચારીઓને 4200 ગ્રેડ પે આપવાની માંગને લઈ થયેલા આંદોલનને લઈ રાજ્ય સરકારે 28 ઓક્ટેમ્બરે સમિતિની રચના કરી હતી. 31 ઓક્ટેમ્બરે મહત્વની બેઠક બાદ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે અંગે વિચારણા થઈ હતી. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર ખાતે બેઠક થઈ હતી. દરેક બેઠકમાં 40થી 60 જેટલા પોલીસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સજેશન આપ્યા હતા. સમસ્યાઓ જણાવી હતી. ગ્રેડ પે અંગે અને એલાઉન્સ તેમજ મોંઘવારી ભથ્થા અંગે રજૂઆતો થઈ હતી.

● આ રીતે પગારમાં મળશે વધારો

■ ફિક્સ પગારમાં નોકરી કરતા લોકરક્ષક અને એએસઆઈનો અગાઉ વાર્ષિક પગાર 2,51,100 હતો જે વધારીને 3,47,250 કરાયો છે.

જેથી હવે ફિક્સ પગારમાં નોકરી કરતા લોકરક્ષક અને એએસઆઈને વાર્ષિક રૂ.96150નો પગાર વધારો મળ્યો છે.

■ પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક રૂ.3,63,660 પગાર મળતો જે હવે વધીને 4,16,400 કરાયો છે.

જેથી હવે પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક 52,740નો પગાર વધારો મળ્યો છે.

■ પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક રૂ.4,36,654 પગાર મળતો જે હવે વધીને 4,95,394 કરાયો છે.

જેથી હવે પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક 58,740નો પગાર વધારો મળ્યો છે.

■ એએસઆઈને રૂ.5,19,354 પગાર મળતો જે હવે વધીને રૂ.5,84,094 કરાયો છે.

જેથી એએસઆઈને વાર્ષિક 64,740નો પગાર વધારો મળ્યો છે.


ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર : પોલીસ કર્મીઓના પગારમાં થશે વધારો : 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Related posts

કુબેરનગર ખાતે ભાનુ વિદ્યાલયના સાનિધ્યમાં તેમજ છારા સમાજના પ્રથમ શિક્ષણવિદ ડો. કેતન ઇન્દ્રેકર સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિતે વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કરાયા! ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા કરાઈ ઉત્કૃષ્ટ કામગીરી

Ritesh Parmar

ગોધરા હાઇવે પર મહંત પરિવારની કારને જોરદાર ટક્કર મારી ઇજા પહોંચાડનાર ઇકો ચાલક વિરૂધ્ધ આખરે ફરિયાદ થઈ દાખલ

Ritesh Parmar

દિલ્હી -મુંબઈ હવે દુર નથી, એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાની કગાર ઉપર, વડોદરાથી દિલ્હી 24 કલાકની જગ્યાએ 12 કલાકમાં પહોંચાશે, વડોદરા અંકલેશ્વર એક્સપ્રેસ વે એપ્રિલમાં શરુ થશે

Ritesh Parmar

Leave a Comment