Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ન્યુદિલ્હી : દેશમાં ન્યાયતંત્ર સાથે પણ ચેડા થઇ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જે મુજબ દેશના કુલ 20 લાખ જેટલા વકીલો પૈકી અડધા ઉપરાંત એટલે કે 12 લાખ જેટલા વકીલો બોગસ હોવાનું બહાર આવ્યું છે . એટલું જ નહીં આ સંખ્યા છેલ્લા બે વર્ષમાં બમણી થઈ છે. આથી બાર એશોશિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું છે. અને હવેથી વકીલો માટે દર પાંચ વર્ષે લાયસન્સ રીન્યુ કરવું ફરજીયાત કરાયું છે.
ન્યાયના ઈચ્છુક નાગરિકો સાથે ખુલ્લી છેતરપિંડી સમાન આ ઘટનાને ધ્યાને લઇ સીસ્ટમમાંથી બોગસ વકીલોને હાંકી કાઢવા બાર કાઉન્સિલે તમામ વકીલો માટે દર પાંચ વર્ષે લાયસન્સ રિન્યુ કરવાનો નિયમ ફરજિયાત કર્યો છે.

બીસીઆઈએ એડવોકેટ્સ માટે દર પાંચ વર્ષે લાયસન્સ રિન્યુ કરવાનું ફરજિયાત કરવાનો નિયમ બનાવતા આ જાણકારી સામે આવી હતી. બોગસ વકીલોને સીસ્ટમમાંથી બહાર કાઢવા અને પ્રેકટીસ કરતા વકીલોની વેરિફિકેશન પ્રક્રિયા સુદ્રઢ કરવા બીસીઆઈએ રાજ્યની તમામ બાર કાઉન્સિલોને એનરોલમેન્ટ ફી ચાર્જ કરવાની ભલામણ કરી છે. તેમની યુનિવર્સિટી અને કોલેજની ડીગ્રીઓ વેરિફિકેશન માટે મોકલવામાં આવશે.
બીસીઆઈને તપાસમાં જાણ થઈ છે કે કોર્ટમાં યોગ્ય સર્ટિફિકેટો વિના અનેક વકીલો પ્રેકટીસ કરી રહ્યા છે. ગયા વર્ષે તેણે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે ભારતમાં રજિસ્ટર થયેલા 20 લાખ વકીલો પૈકી 30 ટકા વકીલોની ડીગ્રી બોગસ છે.

આ સડાને આગળ વધતો અટકાવવા બીસીઆઈએ રાજ્યની તમામ બાર કાઉન્સિલને વકીલો પાસેથી એનરોલમેન્ટ ફી તરીકે રૂા.2,500 વસુલવા જણાવ્યું છે. નવી ગાઈડલાઈન્સ મુજબ એક એડવોકેટે રાજ્યની બાર કાઉન્સિલમાં નોંધણી કરાવતી વખતે પોતાની શૈક્ષણિક ડીગ્રીઓ સંબંધિત તમામ દસ્તાવેજો સુપરત કરવાના રહેશે. બાર કાઉન્સિલ આ દસ્તાવેજો સુપરત થયાના પાંચ દિવસમાં સંબંધિત યુનિવર્સિટી અથવા બોર્ડને ચકાસણી માટે મોકલશે.

રાજ્યની બાર કાઉન્સિલમાં સત્તાવાર જવાબ મળ્યા પછી જ વકીલની નોંધણી પૂર્ણ થઈ ગણાશે જેની ગેરહાજરીમાં ઉમેદવારની છ મહિના માટે હંગામી નોંધણી કરવામાં આવશે. રાજ્યની બાર કાઉન્સિલે નોંધણીના પ્રમાણપત્રો મોકલવા અગાઉ ઉમેદવારોનો ઈન્ટરવ્યુ લેવાનો રહેશે. ત્યાર બાદ તેમણે 10 દિવસમાં નોંધણી કરાયેલા ઉમેદવારોની વિગતો બીસીઆઈને મોકલવાની રહેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.


દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

Related posts

કન્યા સિવાય, બુધ ગ્રહ હવે તુલા રાશિમાં કરી રહ્યો છે પ્રવેશ, બુધ ગ્રહ શુક્ર સાથે લક્ષ્મીનારાયણ યોગ રચી રહ્યો છે, વાંચો રાશિફળ

Phone: 9998685264.

સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા 8 વચનોની પત્રિકાનું વિતરણ! અથાગ મહેનત અને જનતાનો સહકાર જીત અપાવશે : દર્શન નાયક

Phone: 9998685264.

સુરતનો હીરા વેપારી જયારે પોતાના વતનમાં ખેતી કરતો હતો ત્યારે ગામના વડીલો તેમની મદદ કરતા, હીરાના વેપારીએ વડીલોને હવાઈ મુસાફરી કરાવી તેમનું ઋણ ચૂકવ્યું

Phone: 9998685264.

Leave a Comment