Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણ
દહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણદહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણદહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર
દહેગામ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ

સુજાના મુવાડા ગામના એક જાગૃત નાગરિકના નામે પત્રિકા ફરતી થઇ છે
વખતસિંહ ચૌહાણના ચરિત્ર અને સ્વભાવ ઉપર કથિત સવાલો ઉઠાવાયા છે
હાલમાં દહેગામમાં કોંગ્રેસના ઉમેદવારની એક પત્રિકા ફરતી થઇ
દહેગામ સીટ પર કોંગ્રેસએ ટિકીટ નહી આપતાં પુર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડએ બળવો કરીને ભાજપનો ખેસ પહેરી લીધો.ત્યાં હવે જ્યારે મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ ઉપર સનસનીખેજ આક્ષપો કરતી પત્રિકા ફરતી થતાં ચકચાર મચી છે. સુજાના મુવાડા ગામના એક જાગૃત નાગરિકના નામે ફરતી થયેલી પત્રિકામાં કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણના ચરિત્ર અને સ્વભાવ ઉપર કથિત આક્ષેપો કરાયા છે. થોડા સમય પહેલા જ કેટલાક યુવાનોને અપશબ્દો કહેવાનો પણ ઉલ્લેખ પત્રિકામાં કરાયો છે. જેને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આવા તત્વો ઉપર ફોજદારી કાર્યવાહી કરવાની ઉમેદવારે ચિમકી ઉચ્ચારી છે.

વિવાદિત પત્રિકા ફરતી થતાં દહેગામ રાજનીતિમાં ચકચાર

મને બદનામ કરવાનુ કાવતરુ : વખતસિંહ ચૌહાણ

દહેગામમાં કોંગ્રેસના ઉમેદવાર વિશે કથિત આક્ષેપો કરતી પત્રિકા ફરતી થવા અંગે સ્પષ્ટતા કરતા વખતસિંહે ચૌહાણે જણાવ્યુ કે આ પ્રકારની પત્રિકા પહેલા હું જીલ્લા પંચાયત લડતો હતો ત્યારે પણ અમુક તત્વોએ મને બદનામ કરવા માટે વાયરલ કરી હતી. જે તથ્ય વિહોણી વાત છે. અત્યારે હાલ હુ વિધાનસભા ચૂંટણી લડી રહ્યો છુ અને આગળ વધી રહ્યો છુ ત્યારે આવા લોકો હાર ભાળી ગયા છે. આવા લોકો ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ આક્ષેપોને લઈ હુ સો ટકા ફોજદારી કેસ કરીશ તેવું જણાવ્યું હતું. એક ઓડીયો વાઇરલ થયો હોવા અંગે પણ તેમણે જણાવ્યુ કે વિધાનસભાની ટીકીટની ચર્ચા ચાલતી હતી તે વખતે અમુક અસામજીક તત્વોએ બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ વાતમાં કોઇ જ તથ્ય ના હોવાની સ્પષ્ટતા કરી હતી.


ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણ<br>દહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

Related posts

કોઈપણ નોટિસ આપ્યા વગર 10 લાખ વાહનોને બ્લેક લિસ્ટ કરાયા? સમગ્ર મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત, કસૂરવારો સામે પગલા ભરવામાં આવે : દર્શન નાયક

Phone: 9998685264.

રાજકોટ નજીક રૂ.21.55 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો, ટ્રક સહીત કુલ 31.60 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Phone: 9998685264.

સુરતના લીંબાયતમાં ખેલાયો ખૂની ખેલ! એરલાઇન્સ કંપનીમાં કામ કરતા યુવકની ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યાં, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

Leave a Comment