Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો! પાંચ વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી, PI ની પણ કંટ્રોલરૂમ માં બદલી કરાઈ હતી

સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો! પાંચ વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી, PI ની પણ કંટ્રોલરૂમ માં બદલી કરાઈ હતી

Our Visitor

009762
Total Users : 9762
Total views : 11426
Who's Online : 0

સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો! પાંચ વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી, PI ની પણ કંટ્રોલરૂમ માં બદલી કરાઈ હતી

થોડાક દિવસ પહેલા આખા ગુજરાત પોલીસને શરમાવે તેવી ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. જેના પડઘા સમગ્ર અમદાવાદ શહેરમાં પડતા પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિકે તાત્કાલિક અસરથી સરદારનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પી વી પટેલની કંટ્રોલરૂમ માં બદલી કરી દીધી હતી. આ ઘટનામાં સામેલ પાંચ વિવાદિત પોલીસકર્મીઓની આજે જિલ્લા બહાર બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ઘટના વિશે વધુ મળતી માહિતી અનુસાર સરદારનગર પોલીસ સ્ટેશનના PI તરીકે પી વી પટેલને મુકવામાં આવ્યા હતા. PI પટેલે ચાર્જ સંભાળતાની સાથે સરદારનગરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ જેમ કે દારૂ -જુગાર ચરસ અને ગાંજા જેવા માદક પદાર્થો કે જે સમાજ માટે દુષણ છે. આવી અસામાજિક પ્રવૃતિઓને બે રોકટોક ચલાવવા ખુલ્લેઆમ પરમિશન આપી દીધી હતી. જેના લીધે વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા ચાલવતા ગુનેગારો બેફામ બન્યા હતા. વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓની જાણ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને થતા સરદારનગર વિસ્તારમાં રેડો કરવાનું શરુ કર્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું કે સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠ-ગાંઠ છે.આટલુ થવા છતાં સરદારનગરના PI પટેલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કે દારૂ જુગારના અડ્ડાઓ પર રેડ કરાવવાની જગ્યાએ તાત્કાલિક વહીવટદારોને બદલી નાખતા હતા. પરંતુ આ પાસું PI પટેલને જ ભારે પડ્યો હોય તેવો ચિત્ર સામે આવ્યો હતો. થોડા દિવસ પહેલાંજ સરદારનગર પોલીસ સ્ટેશનના નોબલ નગર પોલીસ ચોકી ખાતે મધરાત્રી દરમ્યાન સરદારનગર પોલીસ સ્ટેશનના જુના અને નવા વહીવટદારો વચ્ચે દારૂ જુગારના અડ્ડાઓ ઉપરથી પૈસા ઉઘરાવવા બાબતે જોરદાર બોલાચાલી થઈ હતી. અને ત્યારબાદ છુટા હાથની મારામારી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એટલુંજ નહી પણ જુના વહીવટદારોનું ઉપરાણું લઈ વિસ્તારનો કુખ્યાત બુટલેગર પણ પોતાના માણસો લઈ નોબલ નગર પહોંચી જઈ માથાકૂટ કરી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આ મામલો અમદાવાદ શહેરમાં જ નહી સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બન્યો હતો. પોલીસ માટે આ શરમજનક બનાવ હતો. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરે અગાઉ આ મામલે સરદારનગરના PI પી વી પટેલની બદલી કરી હતી.સમગ્ર મામલે ગાંધીનગર DG ઓફિસમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી.જેમાં આ ઘટનામાં સંડોવાયેલા પાંચ વિવાદિત પોલીસકર્મીઓ દ્વારા કરાયેલ શરમજનક કૃત્યની છુપી રીતે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આજરોજ પાંચ કસૂરવાર અને વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો હતો.


સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો! પાંચ વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી, PI ની પણ કંટ્રોલરૂમ માં બદલી કરાઈ હતી

Related posts

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી માટે શરુ કરાયેલ i khedut portal નું સર્વર ડાઉન! ખેડૂતોમાં નિરાશા ફેલાઈ, સરકાર ટેક્નિકલ ખામી દૂર કરી ખેડૂતોને સબસીડીનો લાભ અપાવે: દર્શન નાયક

Ritesh Parmar

છારાનગર પોલીસ દમન કેસમાં કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે વોરંટ જારી કર્યો, અંતે પોલીસે વિવાદિત પીએસઆઈ મોરીની કરી બદલી
સ્થાનિક લોકો બદલી નહિ પણ ડિસમિસની કરી રહ્યા છે માંગણી

Ritesh Parmar

અમદાવાદ / કાયદાનો રક્ષક ગણાતો પોલીસ જ બન્યો ભક્ષક, પોતાની પત્ની ઉપર શંકા રાખી પટ્ટા વડે અને વાળ પકડી માર મારતો! પત્નીની મરજી વિરૃદ્ધ જબરદસ્તી કરતો સેક્સની માંગણી, પત્નીએ કંટાળી આખરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી

Ritesh Parmar

Leave a Comment