
આજે ગાંધીનગર એસપી રવિ તેજાને જનતા સેના ગુજરાત દ્વારા ઘોડા ઉપર બેસી વાજતે ગાજતે આવેદનપત્ર આપી ગુજરાતમાં દલિતો સાથે થતા ભેદભાવને લઈને સરકારનું ધ્યાન દોરવા જુદી રીત અપનાવવામાં આવી છે.
ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અવારનવાર દલિત સમાજના વરઘોડા રોકવામાં આવે છે તથા વરરાજાનું અપમાન કરવામાં આવે છે. જેના લીધે સમગ્ર દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. હમણાં તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામે દલિત યુવાનનો વરઘોડો રોકવામાં આવ્યો હતો અને વરરાજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં આજે જનતા સેના દ્વારા જુદી રીત અપનાવી જનતા સેનાના પ્રમુખ શ્રી કલ્પેશ પરમાર પોતે ઘોડા ઉપર બેસી ઢોલ નગારા સાથે નાચતા ગાતા એસપી કચેરી ગયા હતા અને એસપી કચેરીના છેક અંદર સુધી વરઘોડો કાઢી આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો.
જનતા સેનાએ અનોખી રીતે આવેદન અને અનોખી માંગણી
કરી

જુદા પ્રકારે આવેદન આપી જનતા સેનાએ માંગણી કરી હતી કે દરેક જિલ્લામાં દલિતોના વરઘોડા શાંતિથી નીકળી શકે તે માટે એક સ્પેશયલ યુનિટની સ્થાપના કરવામાં આવે જે યુનિટ દલિતોના વરઘોડા કોઈપણ અવરોધ વગર નીકળે તે માટે કામ કરી શકે. આમ જનતા સેના દ્વારા દલિતો સાથે થતા અન્યાય સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.





Total Users : 25
Total views : 93
Who's Online : 0