Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના ઉધનામાં એક કંપનીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા કારીગરની હત્યા, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યાં, CCTV ના આધારે પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 3984

સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી
ઉધના વિસ્તારમાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
ઘટનાને પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી

સુરતમાં દિવસે દિવસે ગુનેગારો બેફામ બનતા જોવા મળી રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી સુરતમાં હત્યાના ગુનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક કારીગરની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ઉધના પોલીસ દોડતી થઈ છે. ઘટનાને પગલે પોલીસે ગુનો દાખલ કરી હત્યાનું કારણ અને હત્યારાને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ લક્ષ્‍મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ગેટ નંબર 2માં અવાવરૂ જગ્યાએથી એક યુવકનો મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ કરતાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં મૃતક 34 વર્ષીય મહેન્દ્ર શર્મા હોવાનું સામે આવ્યું હતું અને તે લક્ષ્‍મીનારાયણ ઇન્ડસ્ટ્રીના જ એક ખાતામાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અને ગળાના ભાગે તિક્ષ્‍ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરી છે. પરંતુ આ હત્યા કોણે કરી છે અને કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે હાલ તપાસ ચાલુ છે.ઉધના વિસ્તારમાં હત્યાની ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, આ વિસ્તારના સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા,લૂંટ ,ચોરી ,ચીલઝડપ, સહિતના બનાવો બનતા ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે.આ વચ્ચે વધુ એક હત્યાનો બનાવ બનતા શહેરમાં ચકચાર મચી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતના ઉધનામાં એક કંપનીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા કારીગરની હત્યા, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યાં, CCTV ના આધારે પોલીસે તપાસ હાથ ધરી

Related posts

IAS – IPS ની બદલીના એંધાણ, CMO ઓફિસમાં ભલામણ માટે અધિકારીઓના આંટાફેરા શરુ? સૂત્ર

Phone: 9998685264.

બ્લેક ડે / 26/11/ 2008 મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આજે 13 મી વરસી, તમે કોઈ ઉપર ના આવતા, હું સંભાળી લઈશ, વીર સપૂતે પોતાના જીવની બાજી લગાવી સેકડો લોકોના જીવ બચાવ્યા

Phone: 9998685264.

ગુજરાત પ્રદેશ ભાંતુ વિકાસ પરિષદ દ્વારા ભાંતુ વિમુક્તિ દિવસની ઉજવણી કરાઈ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, IAS IPS અને અન્ય ઉચ્ચ હોદ્દા માટે આકરી મહેનત કરવા વિદ્યાર્થીઓને કરાયા પ્રોત્સાહિત, સમાજને જાગૃત થવાની જરૂર : આગેવાનો એ સંકલ્પ લેવડાવ્યો

Phone: 9998685264.

Leave a Comment