
ઓટો રિક્ષા મારફતે લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે
ઉત્તરાયણમાં ચાઇનીઝ, નાયલોન દોરી કે પછી તુક્કલો નો ઉપયોગ ન કરવા અનુરોધ
હાનીકારક વસ્તુઓનો ઉપયોગ ટાળીએ અને અમુલ્ય જીંદગીઓ બચાવીએ
માત્ર ચાર દિવસ બાદ 14 મી જાન્યુઆરીએ મકરસંક્રાતિ આવી રહી છે.આ દિવસ જેટલી મજાનો છે એટલી જ સજાનો પણ છે. અનેક લોકો ખૂબ મોજથી પતંગ ચગાવી છે પરંતુ અનેક લોકો મોતને પણ ભેટે છે. હજુ તો મકરસંક્રાતિને વાર છે ત્યાં ચાઇનીઝ દોરાથી રાજ્યમાં લોકો મોતને પણ ભેટ્યા છે. જેને લઇને રાજ્યમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યુ છે. જેમાં ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા શખ્સો પર કડક કાર્યવાહી તો કરવામાં આવે છે સાથે સાથે પોલીસ દ્રારા લોકજાગૃતિ માટે પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં રિક્ષા દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ દ્વારા ઓટો રિક્ષા મારફતે લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ કાગડાપીઠ પોલીસ દ્વારા જણાવવાનું છે ઉત્તરાયણમાં ચાઇનીઝ, નાયલોન દોરી કે પછી તુક્કલોના ઉપયોગથી વ્યક્તિઓ તથા પશુ-પંખીઓના જીવ જોખમમાં મૂકાય છે. તેથી ચલો સાથે મળીને આવી હાનીકારક વસ્તુઓનો ઉપયોગ ટાળીએ અને અમુલ્ય જીંદગીઓ બચાવીએ. કાગડાપીઠ પોલીસ લોકજાગૃતિ માટે આ સંદેશ આપીને ચાઇનીઝ દોરા ન વેંચવા માટે અનુરોધ કરી રહી છે તેથી લોકો અને મુંગા પશુ-પંખીઓની પણ જીંદગી બચાવી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરીથી ગુજરાતમાં થતાં મોતને લઈ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. પોલીસે પણ હાઈકોર્ટની નારાજગી બાદ એક્શન લેવાનું શરૂ કર્યું છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ પણ ઉત્તરાયણને લઈ એક ટ્વિટ કર્યું હતુ. જેમાં તેમણે લખ્યું હતુ કે ઉત્તરાયણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરીએ અને સલામત રહીએ. ઉત્તરાયણમાં રસ્તાઓ પર એકાએક જોવા મળતા પતંગ અને દોરા ક્યારેક આપણી મુસાફરીમાં અકસ્માત તરીકે નડતરરૂપ બને છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0