Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

Our Visitor

009769
Total Users : 9769
Total views : 11439
Who's Online : 0

એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

ગુજરાતની ચૂંટણી ટાણે ગુજરાતના રાજકારણમાં કુતિયાણા બેઠકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે છેલ્લી ૨ ટર્મથી કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. ૨૦૧૨માં તેઓ એનસીપીમાં જોડાયા હતા. પરંતુ એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ એનસીપીથી નારાજ હતા.

સુત્રો અનુસાર, કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને બીટીપી મેન્ડેટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજાએ એનસીપીમાંથી ઉમેદવારી પત્ર ભયુ હતું. પરંતુ અંતે ટિકિટ ન આપતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે.

મહત્વનું છે કે, કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વજમાવ્યું છે. ગત ચૂંટણીમાં એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે એનસીપીએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી પણ માહિતી પ્રા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે.

રાણાવાવ–કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. રાણાવાવ–કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુકયા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત ૨૦૧૨માં એનસીપી માંથી રાણાવાવ–કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને ૧૮ હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.


એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

Related posts

G-20: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે

Ritesh Parmar

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદીરે માતાજીના દર્શનાર્થીઓ માટે ૨૧૦ ફુટ સુધી લીફટ બનાવવાની કામગીરી શરુ કરાઈ! માત્ર 40 સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના નિજ મંદિરે

Ritesh Parmar

વલ્લભીપુરની સરકારી શાળામાં લંપટ શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી,12 વર્ષની બાળકી સાથે કરતો હતો શારીરિક અડપલા, પોક્સો હેઠળ ફરીયાદ નોંધાઈ

Ritesh Parmar

Leave a Comment