
ઓલપાડ તાલુકા વિધાનસભા મત વિસ્તારમાંથી નાગરિકો છેલ્લા 35 વર્ષ કરતા વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય ચૂંટીને મોકલી રહ્યા છે.તેમ છતાં ઓલપાડ તાલુકાનાં વિસ્તારમાં અનેક પ્રશ્નો આજે પણ જેમના તેમ છે.સાયણ વિસ્તારમાં લોક સંપર્ક દરમ્યાન અનેક નાગરિકો દ્વારા એડવોકેટ તેમજ સહકારી ખેડૂત આગેવાન અને કોંગ્રેસના લોકપ્રિય નેતા દર્શનભાઈ નાયકને રજૂઆતો કરવા આવી છે.
જેમ કે સાયણ જેવા વિસ્તારમાં ઠેર ઠેર કચરાનાં કારણે ગંદકી જોવા મળે છે. તથા ગટર લાઇન ની કોઈ પણ જાતની સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી.
લાખો રૂપિયાની ગ્રાંટ સ્વચ્છતા અભિયાનના નામે ખર્ચવા છતાં પણ આ ગંદકી ને કારણે સાયણનાં નિર્દોષ નાગરિકોના આરોગ્ય ને નુકસાન થઈ રહ્યું છે અને લોકોને માટે જીવન જીવવું ખૂબ દુસ્કળ બન્યું છે.

ઓલપાડના સેલૂત ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લાખો રૂપિયા ની ગ્રાંટથી બનાવવામાં આવેલ નાના પુલિયા પરનો નવો રોડ સામાન્ય વરસાદમાં ધોવાઈને ગાયબ થઈ ગયો.કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યુ નથી હોય એવું લોકોનુ સ્પષ્ટ માનવું છે.તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આવી ગંભીર બાબતો ની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી.





Total Users : 25
Total views : 93
Who's Online : 0