
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત સિવાણ, માધર,ખલીપોર અને સિથાણ ગામ ખાતે સવારે અને બપોર બાદ ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત શહેરી વિસ્તારના વરિયાવ ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ,શાર્દુલસિંહભાઈ,દેવરાજભાઈ ટીંબી,કલ્પેશભાઈ રાણા,ધર્મેશભાઈ ચૌધરી અને ભુપેન્દ્ર ભાઈ પટેલ,કલ્પેશભાઈ પટેલ,બોનીભાઈ પટેલ ,નવીનભાઈ સહિતના ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.


તો બીજીતરફ દર્શનભાઈ નાયક અને ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરાગામ ખાતે આદિવાસી સમાજની સાથે ચૂંટણી સંદર્ભમાં ચર્ચા વિચારણા કરી હતી. જ્યાં આદિવાસી સમાજ ના આગેવાન અને હળપતી સમાજ ના આગેવાન જેવા કે મનીષ ભાઈ વસાવા,જય ભાઈ રાઠોડ, મોહનભાઇ વસાવા, જગદીશ ભાઈ ગામીત, અરવિંદ ભાઈ રાઠોડ, તથા યુવા અને વડીલ શ્રી આગેવાનો સાથે આદિવાસી સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હતી. જેમાં આદિવાસી સમાજ તેમજ હળપતિ સમાજ દ્વારા આશ્વાસન અપાયું હતું કે, આવનારી વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ સાથે રહી કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર ને જીતાડવા પુરી કોશિશ કરશે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0