
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત મસમા અને ઇશનપોર ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.


બીજીતરફ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત થોથબ, સરસાણા,પારડી,કોબા અને કસાદ ગામ ખાતે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો.આ પ્રસંગે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ને જનતા તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. જનતાનો બદલતો મિજાજ અને કોંગ્રેસ પક્ષ તરફનો ઝૂકાવ જોઈને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ નવું કરશે તેવી ઉર્જાનું નિર્માણ થયું હતું. ઓલપાડમાં પ્રચાર કરી રહેલી કોંગ્રેસ સમિતિ સમક્ષ લોકોએ પોતાને પડતી મુશ્કેલીઓ અને અગવડ઼ો વિશે ખુલીને ચર્ચા કરી હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક તેમજ ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઓલપાડના નાગરિકોને આશ્વાસન આપીને જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવતા આપની તમામ તકલીફો દૂર કરશે અને કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા અપાયેલા 8 વચનો તાત્કાલિક પુરા કરવામાં આવશે.







Total Users : 9747
Total views : 11410
Who's Online : 0