
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલજી આવનાર ૮મી સપ્ટેમ્બરના રોજ સુરત જિલ્લાના ઓલાપડ ખાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરુપે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે ઓલપાડ તાલુકાના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ પણ સાથે લેતાં આવે એવી માંગણી સહકારી અને ખેડૂત આગેવાન તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે કરી છે. નાયકે કહ્યું કે, રાજ્ય સરકાર કાયમ ઓલપાડ પંથકના પ્રાણ પ્રશ્નો સામે આંખ આડા કાન કરતી આવી છે. વર્ષોથી ઓલપાડ તાલુકાના ગ્રામજનો આગેવાનો દ્વારા સ્થાનિક કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ નીચે મુજબના કામોનો ઉકેલ આવતો નથી.

(૧). “તૌઊતે” વાવાઝોડાના કારણે સાયણ સુગર મિલના શેરડી પક્વતા ખેડૂતોને આશરે 12 કરોડ રૂપિયા જેટલું નુકશાન ગયેલ હતું.રાજ્ય સરકારના મંત્રી દ્વારા જાહેરમાં રાહત આપવાની જાહેરાત કરી હતી.પરંતુ સરકાર તરફથી આજદિન સુધી સાયણ સુગર ફેક્ટરીને આ રાહત મળી નથી. જેથી ગુજરાત સરકાર સાયણ સુગર ફેક્ટરીના શેરડી પક્વતા ખેડૂતોના હિતમાં 12 કરોડ રૂપિયા રાહત વહેલામાં વહેલી તકે આપવામાં આવે.
(૨). વર્ષોથી ઓલપાડ તાલુકાનાં વિધ્યાર્થીઓ માટે સરકારી સાયન્સ કોલેજની માંગણી કરવામાં આવી રહી છે પરંતુ આ પ્રશ્ને ગુજરાત સરકાર ઉદાસીનતા દાખવી રહી છે ઓલપાડને વહેલી તકે સરકારી સાયન્સ કોલેજ મળે તેવી અમારી માંગણી છે.
(૩). સરકારના વિવિધ વિભાગો દ્વારા ખેડૂતો ની પજવણી કરવા માટે સીલીંગની નોટિસો ખેડૂતોને આપવામાં આવી રહી છે .જેથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને ખોટી રીતે અપાયેલી નોટિસો .દફતરે કરવામાં આવે.
(૪). ઓલપાડ તાલુકાના સિંચાઈ વિભાગ, આર .એન .બી. વિભાગ,DGVCL,જિલ્લા પંચાયતના તમામ વિભાગ, રાજ્યના આરોગ્ય વિભાગના દવાખાનાઓ, એસટી વિભાગ, પોલીસ,મામલતદાર કચેરી,તાલુકા પંચાયત સહિતના અનેક સરકારી વિભાગોમાં 50% થી વધુ જગ્યાઓ ખાલી હોવાને કારણે આ વિસ્તારના લોકોના કામોમાં વિલંબ થાય છે અને વિભાગોના ધક્કાઓ ખાઈ ખાઈને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠે છે.જેથી ઓલપાડ પંથકના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓની તાકીદે ભરતી કરી ભરવામાં આવે.
(૫). ગોઠાણ થી હજીરા સુધી ગુડ્સ ટ્રેનોનું ડબલ લાઈન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.માત્ર ખાનગી કંપનીઓના લાભ માટે બનાવવામાં આવનાર આ ટ્રેન બાબતે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ છે.જેથી આ વિસ્તારના ખેડૂતોની વતી મારી માંગણી છે કે આ જાહેરનામું રદ કરી ખેડૂતોને જમીનમાં થનાર નુકસાની માંથી બચાવવામાં આવે.
(૬). ખેડૂતોના પાકના રક્ષણ માટે આપવામાં આવેલા હથિયાર ધારી લાયસન્સો કલેક્ટર શ્રી દ્વારા રદ કરવામાં આવ્યા છે. ઓલપાડ પંથકમાં ડુક્કર,હિંસક ભૂંડ અને દીપડા સહિતના પ્રાણીઓ દેખાવાના બનાવો બનતા આવેલા હોવાથી ખેડૂતોને તેમના આત્મરક્ષણ માટે ખેડૂતોના હથિયારના લાયસન્સ તાકીદે રીન્યુ કરવામાં આવે.
(૭). રાજ્ય સરકારનો મહાકાય ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાનો પરિપત્ર હોવા છતાં પણ ઓલપાડ અને ચોર્યાસી તાલુકા સહિતના વિસ્તારોમાં આવેલા મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા સ્થાનિક શિક્ષિત યુવાનોને લાયકાત પ્રમાણે નોકરી આપવા સરકારનો જે પરિપત્ર છે તેનો પરિપત્રનો અમલ કરાવવામાં આવે.
(૮). ઓલપાડ પંથકમાં 5,000 હેક્ટર થી વધુ સરકારી જમીનનો ઉપર ગેરકાયદે ઝીંગાના તળાવો ધમધમી રહ્યા છે. આ ઝીંગાના તળાવોનું ડિમોલિશન કરી સરકાર જમીનનો કબજો મેળવી ગ્રામ પંચાયતોને આ જમીનનો વહીવટ સોંપે અને પંચાયત દ્વારા આર્થિક ધોરણ નક્કી કરી સ્થાનિ ગામના જ નાગરિકોને જરૂરિયાત મુજબ પર્યાવરણ ના કાયદાઓનું પાલન થાય એ રીતે ઝીંગાના ફાર્મિંગ માટે જમીન ફાળવવામાં આવે તેવી અમારી માંગ છે.
(૯). ઉદ્યોગ ગૃહો દ્વારા વ્યાપક પ્રમાણમાં હવા પાણીનું પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. કીમ નદી અને સેના ખાડીમાં મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. હવા પાણીના પ્રદૂષણને કારણે ખેડુતો ના આરોગ્ય અને ખેતીના પાકને નુકસાન થાય છે. જેથી પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગ ગૃહો સામે કડક કાર્યવાહી કરવાની અમોની માંગ છે.
(૧૦). રાજ્ય સરકાર દ્વારા હળપતિ સમાજના લોકોને 100 વાર નો પ્લોટ ફાળવવાની જોગવાઈ હોવા છતાં પણ લાંબા સમયથી લેન્ડ કમિટીની મીટીંગ મળતી ન હોવાથી હળપતિ સમાજના લોકોને પ્લોટ ફાળવવા માટેની કામગીરી અટકી પડી છે. જેથી સરકાર દ્વારા આ મુદ્દે તાકીદે હળપતિ સમાજના લોકોને પ્લોટ ફાળવવામાં આવે વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે. હળપતિ સમાજના લોકોને વારસાઈ કરવા માટે તેમના વારસદારોને ઘણી મુશ્કેલી પડી રહી છે. હળપતિ સમાજના લોકોને વારસાઈ કરવા માટે સરળતા રહે એવી જુંબેસ ચલાવવામાં આવે એવી વિનતિ છે.
(૧૧). સૈના ખાડી, તૈના ખાડી, ઘોડા ખાડી, કીમ નદી, તાપી નદી સહિતના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદે દબાણ હોવાને કારણે પાણીની વહન ક્ષમતા ઘટી ગઈ છે અને ચોમાસાનું પાણી આ ખાડી અને નદી મારફતે દરિયામાં જે ઝડપથી જવાનું હોય એ ઝડપથી જતું નથી.આ દબાણોને કારણે પાણી ખેડૂતોના ખેતરો અને ઘરો સુધી પહોંચી જાય છે અને વ્યાપક નુકસાન કરી રહ્યું છે જેથી આ તમામ ખાડીઓ અને નદી ઉપર કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને વહેલી તકે દૂર કરવામાં આવે.
(૧૨). સરકાર દ્વારા મોબાઈલ કનેક્ટિવિટીમાં ૫જીની વાતો કરી રહી છે પરંતુ ઓલપાડ તાલુકા અનેક વિસ્તારમાં મોબાઇલ ફોનની કનેક્ટિવિટી ખૂબ જ ઓછી છે તથા ઘણી વખતે ઇમર્જન્સીમાં સમયે મદદરૂપ થવા માટે ફોન લાગી શકતા નથી .જેથી આ વિસ્તારમાં મોબાઇલ ફોનની કનેક્ટિવિટી વધે એ માટે સરકારે તત્કાલ કામ કરવું જોઈએ.
(૧૩). ઓલાપડ તાલુકા વિસ્તારમાં મોટા ભાગે ખેડૂતો ડાંગર ની ખેતી કરે છે.પરંતુ સરકાર દ્વારા આ ખેડૂતોના ડાંગર ના પાક ને ટેકાના ભાવે ખરીદી કરવા માટે એક પણ કેન્દ્ર શરૂ કરવામાં આવતું નથી. ખેડૂતો પોતાનો પાક સહકારી સસ્થાઓ.મારફત વેચે છે જેમાં ખેડૂતોને પોતાના માલની કિંમત મળવામાં ઘણો સમય રાહ જોવી પડે છે .જો સહકારી સંસ્થાઓને ખેડૂતોના ડાંગર નો પાક સરકારી ટેકાના ભાવે ખરીદવા માટે મંજૂરી આપી તત્કાલ ખેડૂતોને તેમની ઉપજના પૈસા ચૂકવી દેવામાં આવેતો ખેડુતોને ઘણી રાહત થાય તેમ છે. આપશ્રી ખેડૂતોના હિતમાં સહકારી સંસ્થાઓને જ ટેકાના ભાવે ડાંગર ખરીદવા માટે ખરીદ કેન્દ્ર તરીકે ફાળવો એવી અને માંગણી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0