
અમદાવાદમાં ગણપતિ વિસર્જનને લઈને લેવાયો નિર્ણય
કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યા
AMC દ્વારા વિસર્જન માટે બનાવેલ કુડમાં જ ગણપતિ વિસર્જન કરવા અપિલ
હાલ રાજ્યમાં ગણપતિ મહોત્સવની ખુબ ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.અને થોડા દિવસ બાદ ગણપતિ વિસર્જન કરવામાં આવશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા ગણેશ વિસર્જનની તૈયારીઓમાં લાગી ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગણેશ વિસર્જન માટે શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. નદી તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણી દુષિત થાય છે. જેથી નદી તળાવના સ્ત્રોતને સુરક્ષિત રાખવા તથા પર્યાવરણ બચાવવા વિસર્જન માટે બનાવેલ કુડમાં જ ગણપતિ વિસર્જન કરવા અપિલ છે.
AMC દ્વારા જુદા જુદા સ્થળોએ બનાવવામાં આવેલ વિસર્જન કુંડની વિગતો નીચે મુજબ છે.








Total Users : 25
Total views : 93
Who's Online : 0