
અમદાવાદ ખાતેના સરખેજની સાર્વજનિક માધ્યમિક શાળામાં ભણતા વિધાર્થીઓને પ્રકૃતિ વિશેની સાચી સમજણ અને પર્યાવરણ સંરક્ષણની ગતિવિધિ વિશે HSSF સંસ્થા દ્વારા એક કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત માધ્યમિક શાળામાં ભણતા વિધાર્થીઓને ધરતી માતાનું સોંદર્ય સદાય સુંદર રહે તે માટે જળ, જમીન, જંગલ અને જાનવરનું સંરક્ષણ કરવું એ આપણા સહુનો કર્તવ્ય છે. જેથી આપણે બધા સાથે મળીને પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ અને વન સુરક્ષા માટે સંકલ્પબ્ધ બનીએ અને તેના ઉમદા હેતુ માટે પ્રકૃતિ વંદનને સમજીએ તે બદલ HSSF સંસ્થા દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પર્યાવરણ લક્ષી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જેમાં HSSF સંસ્થાના સૌ આગેવાનો, કર્મીઓ, સરખેજ સાર્વજનિક માધ્યમિક શાળાના સંચાલકો, અધ્યાપકો, શિક્ષકો તેમજ શાળાના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ શુભ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ શ્રી નારણભાઈ મેઘાણી, નિમંત્રણ શ્રી, ગોપાલભાઈ ભટ્ટ, સહ સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ, સરખેજ સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય શ્રી વસંતભાઈ પટેલ તેમજ HSSF સંસ્થાના મુખ્ય સચિવ શ્રી ઘનશ્યામ ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે HSSF સંસ્થાના ગુજરાત મીડિયા પ્રભારી એવા સોનલબેન પટેલ પણ કાર્યરત રહ્યા હતા.






Total Users : 25
Total views : 93
Who's Online : 0