
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ઘણા આરોપોમાં છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ આસારામ બાપુને એક મહત્વની ખબર થોડાક સમય પહેલા સામે આવી હતી. આસારામ બાપુ જોધપુરના મથુરાદાસ માથુર હોસ્પિટલના સોનોગ્રાફી સેન્ટર માં સોનોગ્રાફી કરાવ્યા બાદ તેમને ccu માં સિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.
આશારામ બાપુ ને એન્જીઓગ્રાફી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે આંખોમાં ધૂળ નાખીને આસારામબાપુના આ મામલામાં આરોપી રહેલી યુવતી ccu સેન્ટરની બહાર સુધી પહોંચી ગઈ.
જેની અધિકારીઓ અને સિપાઇઓને ખબર પણ ના પડી.

આ યુવતી ઉપર મીડિયાની નજર પડતા પહેલા તો યુવતી આનાકાની કરી પરંતુ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે આસારામ અમારા દાદાની ઉમરના છે. તે આ પ્રકારનું કોઈ કામ ન કરી શકે પરંતુ તેમના ઉપર કોઈને દયા નથી આવી રહી. તેમની ઉપર લાગેલા બધા જ આરોપો નિરાધાર છે. તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.
આસારામબાપુના સ્વાસ્થ્યને લઈને મળતી જાણકારી આપતા મથુરાદાસ માથુર હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર એમ કે આસેરી એ જણાવ્યું કે અત્યાર સુધી આસારામ બાપુની જે પણ તપાસ કરવામાં આવી છે તે નોર્મલ છે અને હવે સોનોગ્રાફી કરવામાં આવી છે.
સોનોગ્રાફી રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરની સલાહ લીધા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે અને સારવાર માટે આશારામ બાપુ ની સંમતિ બાદ જ સારવાર આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે આ મામલો ફેબ્રુઆરી મહિનાની નજીકનો છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0