Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હિન્દી ફિલ્મ જગતના પીઢ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું નિધન, 86 વર્ષના લેજેન્ડ દિગ્દર્શકનું હૃદય બંધ પડી જતા થયું મોત

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 800

બોલીવૂડના પીઢ ફિલ્મ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું મુંબઈમાં લાંબી માંદગી બાદ અવસાન થયું છે. 86 વર્ષના સાવનકુમાર કેટલાય સમયથી ફેફસાં સહિતની બીમારીથી પીડાતા હતા. આજે હૃદય બંધ પડી જવાથી તેમનું નિધન થયું હતું. 

સાવન કુમારની સૌથી જાણીત ફિલ્મોમાં રાજેશ ખન્ના, પદ્મિની કોલ્હાપુરી અને ટીના મુનિમની સૌતન ફિલ્મનો સમાવેશ થાય છે. સાવન કુમારે એ પછી સૌતન શબ્દ પરથી કેટલીય ફિલ્મો બનાવી અને ગીતો પણ લખ્યાં હતાં. સૌતનનાં  શાયદ મેરી શાદી કા ખ્યાલ દિલ મેં આયા હૈ અને જિંદગી પ્યાર કા ગીત હૈ જીસે હર દિલ કો ગાના પડેગા જેવાં તેમનાં લખેલાં ગીતો આજે પણ લોકપ્રિય છે.  

સાવન કુમાર સાથે સંકળાયેલી ખાસ હકીકત એ છે કે વિખ્યાત અભિનેતા સંજીવ કુમારની પહેલી ફિલ્મ અને અભિનેત્રી મીના કુમારીની છેલ્લી ફિલ્મ સાવન કુમારની હતી. . તેમની ફિલ્મ નૌનિહાલ સંજીવ કુમારની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી અને તે માટે સંજીવ કુમારને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.  બીજી તરફ તેમની ફિલ્મ ગોમતી કે કિનારે મીના કુમારીની છેલ્લી ફિલ્મ બની રહી હતી. 

સાવન કુમારની ફિલ્મોમાં પત્ની ઉષા ખન્ના જ સંગીત આપતાં હતાં અને તેમની મોટાભાગની ફિલ્મોનું સંગીત લોકપ્રિય થયું હતું. નવી પેઢીના કલાકારોમાં સલમાન ખાનની સનમ બેવફા તેમની  જાણીતી ફિલ્મ છે. 
આ ઉપરાંત હૃતિક રોશનની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈનાં ગીતો પણ તેમણે લખ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હિન્દી ફિલ્મ જગતના પીઢ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું નિધન, 86 વર્ષના લેજેન્ડ દિગ્દર્શકનું હૃદય બંધ પડી જતા થયું મોત

Related posts

લીંબડી -અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,પદયાત્રી સહીત 2 લોકોના મોત, 2 ગંભીર,

Phone: 9998685264.

સોશ્યલ મીડિયા ઉપર ફેમસ થવાનો મોભ છોડી દેજો! પૂરપાટ ઝડપતી આવતી ટ્રેન સામે ઉભા રહીને વિડીયો બનાવતા યુવકને ટ્રેને મારી ટક્કર, વિડીયો જોઈ પરસેવા છૂટી જશે

Phone: 9998685264.

સુમુલ ડેરીમાં આદિવાસી મહિલાઓ સાથે થતા અન્યાય અને ડેરીમાં ચાલતા મોટા ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રીને ફરીયાદ! કથિત રીતે ચાલતા ગેરવહીવટને રોકવા ઉચ્ચ અધિકારીની નિમણુંક કરી તપાસ કરાવવામાં આવે : દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment