Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના 16 ડબ્બા ખડી પડ્યા! ડબ્બામાં રહેલ માલસામાન ઢોળાયો, રેલ્વે લાઈનના કેબલને ભારે નુકશાન! રેલ વ્યવહાર ખોવાયો

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 3794

ગુજરાતના દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે આજે સવારે લગભગ 1:00 વાગ્યે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ અકસ્માત અંગે કોઈ વિગતો કે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી પ્રમાણે, આ મહુડી સ્ટેશન લગભગ 1:00 વાગ્યે કોઈ કારણસર માલગાડીના 16 ડબ્બા છૂટા પડી ગયા હતા.
ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ સિવાય રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાયો હતો. સાથે જ રેલવે લાઈનના કેબલને ભાર નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો. અહેવાલ અનુસાર, દાહોદના મંગલ મહુડી રેલવે સ્ટેશન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક જગ્યાએ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ કારણે રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દીધા છે.

પશ્ચિમ રેલવેના ડીઆરએમ મુંબઈ સેન્ટ્રલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, રતલામ ડિવિઝન ખાતે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે.આ જ રીતે ડીઆરએમ કોટાએ પણ એક ટ્વીટમાં માહિતી આપી છે કે, પશ્ર્ચિમ રેલવેમા રતલામ-ગોધરા સેક્શનમાં મંગલ મહુડી, લીમખેડા વચ્ચે માલગાડી ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણ અનેક ટ્રેનને ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના 16 ડબ્બા ખડી પડ્યા! ડબ્બામાં રહેલ માલસામાન ઢોળાયો, રેલ્વે લાઈનના કેબલને ભારે નુકશાન! રેલ વ્યવહાર ખોવાયો

Related posts

નરોડા પાર્વતી જાદવ હોસ્પિટલના 1.87 કરોડની ઠગાઇનો મામલો, આંક 10 કરોડે પહોંચ્યો,ટ્રસ્ટી સહિતના લોકોએ બેંકમાં ભરવાની જગ્યાએ પૈસા ગુમ કર્યા, ક્રાઇમ બ્રાન્ચની ચાર્જશીટ,પોલીસે સીએની મદદ લઇ તપાસ કરી, હજુ આંક વધવાની શક્યતા

Phone: 9998685264.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 677 બીન હથિયારી ASI ને 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા,

Phone: 9998685264.

વડોદરામાં મહિલાએ નિર્માણાધિન બિલ્ડીંગ પરથી નીચે છલાંગ લગાવી આત્મહત્યા કરી! પરિવારજનોનો આંક્રન્દ, પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી

Phone: 9998685264.

Leave a Comment