Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજ્યમાં વધુ એક હત્યાંનો બનાવ, બોટાદમાં નરાધમે પોતાની પત્ની અને ભાભીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા, આરોપી ફરાર

રાજ્યમાં વધુ એક હત્યાંનો બનાવ, બોટાદમાં નરાધમે પોતાની પત્ની અને ભાભીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા, આરોપી ફરાર

Our Visitor

009769
Total Users : 9769
Total views : 11439
Who's Online : 0

રાજ્યમાં વધુ એક હત્યાંનો બનાવ, બોટાદમાં નરાધમે પોતાની પત્ની અને ભાભીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા, આરોપી ફરાર

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સમગ્ર રાજ્યમાં જયારે હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. રાજ્યના બોટાદ જીલ્લાનાં રાણપુર તાલુકામાં આવેલ ગુંદા ગામમાં મંગળવારની સવારે પતિએ પત્ની તથા તેમના ભાભીની છરીનાં ઘા મારીને હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ ફરાર થઈ જતા નાના એવા ગુંદા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
રાણપુર તાલુકામાં આવેલ ગુંદા ગામમાં મંગળવારની સવારમાં 11 કલાકે ભીખુભાઈ સુરસંગભાઈ ડોડિયા તેમજ તેમના પત્ની હર્ષાબેન ભીખુભાઈ ડોડિયા ઘરે એકલા હતા.

આ દરમિયાન ભીખુભાઈનાં ભાભી ધીરજબેન કપડાં ધોવા માટે તેમના ઘરે આવ્યાં હતાં. પરિવારનાં અન્ય સભ્યો વાડીએ ગયા ત્યારે કોઈ અગમ્ય કારણસર ભીખુભાઈ તથા તેમના પત્ની વચ્ચે બોલાચાલી થતા ધીરજબેનની વચ્ચે પડતા ભીખુભાઈ ડોડિયાએ છરીથી હુમલો કરતા તેમના પત્ની હર્ષાબેન ડોડિયા તથા તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડિયા બન્નેને છરીના આડેધડ ઘા મારીને બન્નેની હત્યા નીપજાવી ભીખુભાઈ ડોડિયા ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાની સાથે જ બોટાદ જિલ્લા SP હર્ષદ મહેતા, DYSP સહિતનો પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોચીને બન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાણપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ફરાર આરોપીને શોધી પાડવા માટે પોલીસ દ્વારા નાકાબંધી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ હત્યા સમયે ઘરે ફક્ત ત્રણ જ સભ્યો હાજર હતા. આની માટે આ હત્યાનું કારણ હજી અકબંધ રહ્યું છે. સાચુ કારણ હત્યારો ઝડપાય ત્યારે જ જાણી શકાશે. આમ, નાના એવા ગુંદા ગામમાં ડબલ હત્યાના બનાવથી હાહાકાર મચી જવા પામ્યો હતો. મૃતક પત્ની હર્ષાબેન ભીખુભાઈને 3 સંતાન છે.

મૃતક હર્ષાબેન તેમજ ભીખુભાઈનાં દાંપત્ય જીવનમાં ૩ સંતાનો છે કે, જેમાં 2 દીકરા અને 1 પુત્રી છે જ્યારે તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડિયા નિ:સંતાન છે તેમ તેમના પરિવારમાંથી જાણવા મળ્યું હતું. આમ, સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.


રાજ્યમાં વધુ એક હત્યાંનો બનાવ, બોટાદમાં નરાધમે પોતાની પત્ની અને ભાભીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા, આરોપી ફરાર

Related posts

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ! ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકોએ આટલી સાવચેતી અવશ્ય રાખવી

Ritesh Parmar

દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના 16 ડબ્બા ખડી પડ્યા! ડબ્બામાં રહેલ માલસામાન ઢોળાયો, રેલ્વે લાઈનના કેબલને ભારે નુકશાન! રેલ વ્યવહાર ખોવાયો

Ritesh Parmar

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી જ બન્યા વહીવટદાર? સૂત્રો

Ritesh Parmar

Leave a Comment