
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અમદાવાદમાં એક મહિલા PSI પર કોર્ટ પરિસરમાં જ હુમલો થયો. આ ઘટનામાં મહિલા PSIને ઈજા થઈ હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા 150 કરતાં વધારે લોકોના ટોળા સામે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા મહિલા PSI વર્ષા જાદવે પોલીસ તેમની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કર્યો છે. વર્ષા જાદવનો આક્ષેપ છે કે, તેઓ પોલીસમાં હોવા છતાં તેમણે પોલીસ ડિપાર્ટમેન્ટના જ ઓછી અધિકારીઓ ફરિયાદ ન કરવા માટે ધમકાવી રહ્યા છે. કોર્ટમાં અધિકારીની સામે જ તેમના સાથે કેટલાક લોકોએ અભદ્ર વર્તન કરી હુમલો કર્યો હોવાની જાણ અધિકારીઓને હોવા છતાં પણ તેમને ફરિયાદના બદલે માત્ર અરજી લેવાની કાર્યવાહી કરી છે.
PSI વર્ષા જાદવનો આક્ષેપ છે કે, તેમને મહિલાઓની સુરક્ષા માટે પોતાનું યોગદાન આપવા પોલીસ વિભાગમાં જોડાવાનું નક્કી કર્યું હતું પરંતુ કોર્ટ પરિસરમાં જ તેમનો ચોટલો ખેંચીને કેટલાક પુરુષોએ તેમની નીચે પાડી ઘસડીને માર માર્યો અને તેઓ બેભાન થઈ ગયા હતા. છતાં પણ જવાબદારો સામે કોઈ પણ કાર્યવાહી થઇ નથી તેથી તેનું તેમને દુઃખ છે.
આ ઘટનાના પગલે મહિલા PSI વર્ષા જાદવ અને તેમના પરિવારના સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ મામલે તેમને અરજી આપી છે તે બાબતે કોઇ કાર્યવાહી નહીં થાય તો તેઓ તેમના પરિવારના સભ્યો સાથે કમિશનર કચેરી અથવા તો કારંજ પોલીસ સ્ટેશન પર જઈને ધરણા કરશે. મહિલા PSI વર્ષા જાદવ પર 150 કરતા વધુ લોકોના ટોળાએ હુમલો કરી તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની અરજી તેમને પોલીસ સ્ટેશનમાં આપી છે. જોકે તેમની જ ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવતી ન હોવાનો આક્ષેપ મહિલા PSI દ્વારા લગાવવામાં આવતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમા જોવાનું એ રહ્યું કે મહિલા PSI વર્ષા જાદવને પોલીસ પાસેથી ન્યાય મળે છે કે નહીં.





Total Users : 25
Total views : 93
Who's Online : 0