
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદ 24
ઘીકાંટા સ્થિત ફોજધારી કોર્ટની બિલકુલ સામે આવેલા રામાપીર મંદિરની આડમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી વકીલોને ઓફિસ ભાડે આપી તેમજ મેરેજ બ્યુરો અને કોમ્પ્યુટર સેન્ટરને આપી લાખો રૂપિયા કમાણી કરવા છતાં મંદિરના ટ્રસ્ટીએ રૂપિયા 40 લાખ કરતા વધુ મ્યુનિસિપલ ટેક્સ નહિ ભરતા 20 કરતા વધુ દુકાનોને સીલ મારી દેવાતા ચકચાર મચી જવા પામી છે.વકીલોની કેટલીક ફાઈલો પણ ઓફિસ સાથે સીલ કરતા અનેક સવાલો ઉભા થયા છે.
બનાવની વિગત એવી છે કે, મેટ્રો કોર્ટના મુખ્ય ગેટની પાસે રામદેવપીરનો મંદિર આવેલો છે.આ મંદિરમાં નીચે ભોંયરૂ ,તેના ઉપર મંદિર અને મંદિર ઉપર ત્રણ માળમાં 20 કરતા વધુ ઓફિસો આવેલી છે.આ દુકાનોમાં વકીલોની ઓફિસો,ઝેરોક્ષ, કોમ્પ્યુટર સેન્ટર, મેરેજ બ્યુરો,હોઝિયરીઓના વેપારીઓને માસિક 8 થી 10 હજારના ભાડેથી મંદીરના ટ્રસ્ટીઓએ આપેલી હતી.આ મંદિરની આડમાં કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું.આ દુકાનોનો અત્યાર સુધીનો 40 લાખ કરતા વધુ મ્યુનિસિપલ ટેક્સ બાકી હતું.આ ટેક્સ નહિ ભરતા આજે મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ દુકાનોને સીલ મારી દીધા છે.ઑફિસોને સીલ મારતા વકીલોની મહત્વની ફાઈલો પણ સીલ થઈ છે.ફાઇલ વગર અસિલોના કેસ ચલાવવામાં મુશ્કેલી પડે તેવી શક્યતા છે.






Total Users : 9766
Total views : 11432
Who's Online : 0