
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ૫૦ પોલીસ કર્મીઓની બદલી પછી ફરી એક વખત જિલ્લામાં પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. અમરેલીમાં પીઆઇ-પીએસઆઇ સહિત ૯ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા એસઓજી પીએસઆઇ એમ.એ.મોરીને લીવ રીઝર્વ પર મોકલી દેવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.
જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાંથી પણ પીઆઇ અને ચાર પીએસઆઇ સહિતના કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. અમરેલીમાં સીટી પીઆઇ જે.જે. ચૌધરીને જાફરાબાદ, લાઠીના પીએસઆઇ એન.એ. વાઘેલાને સાવરકુંડલા રૂરલ, જાફરાબાદના પીએસાઇ એસ.આર. શર્માને એસઓજી માં અને વડીયા પીએસઆઇ એ.વી. સરવૈયાની લાઠી ખાતે બદલી કરવામાં આવી છે.
આ સાથે જ અમરેલીમાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા ૪ પોલીસ હેડ કોન્સ્ટેબલની પણ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. જેમાં મધુ ભાઇ નથુ ભાઇ પોપટ (રાજુલા), અજય મુકેશ ભાઇ સોલંકી (પેરોલ ફર્લો), ગિરિરાજ સિંહ વનરાજ સિંહ જાડેજા (પેરોલ ફર્લો), અજય ભાઇ ગોબર ભાઇ વાઘેલા (પીપાવાવ મરીન)ની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.
અમરેલી તાલુકામાં રેતી ચોરી આરોપને જવા દેતા પીએસઆઇ પીબી લકકડને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય પણ કેટલાક આરોપો સર તેમને સસ્પેનશન ઓર્ડર આપી દેવામાં આવ્યા છે
જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે ધડાધડ બદલીના ઓર્ડરો કરતાં જિલ્લાના પોલીસ બેડામાં છેલ્લા કેટલાંક દિવસથી ફફડાટ જોવા મળી રહ્યો છે. રોજ સવારે કોને બદલીના ઓર્ડર થતાં કોના તપેલા કયારે ચડી જાય તેવો ભય પણ પોલીસકર્મીઓમાં જોવા મળી રહ્યો છે.







Total Users : 9764
Total views : 11428
Who's Online : 0