Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

ગુજરાત રાજ્યભરમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. તેમજ રાજ્યમાં ગઈકાલે વરસાદથી ૮ લોકોના મોત થયા છે. તથા ૨૪ કલાકમાં ૧૫ પશુઓ મોતને ભેટ્યા છે. તેમજ પંચાયત હસ્તકના ૧૦૬ રોડ બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ તાપી જીલ્લામાં ૫૭ રોડ બંધ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં ૨૨, સુરતમાં ૧૭ રોડ બંધ થયા છે. સાથે જ વલસાડમાં ૭, કચ્છ જિલ્લામાં ૧ રોડ બંધ છે.

બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં ૧-૧ રોડ બંધ છે તથા ખેડાના ૫ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સુરેન્દ્રનગરના ચુડાના ૬ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ પોરબંદરના ૩ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સાથે જ ગીર સોમનાથના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
રાજ્યમા વરસાદના કારણે ગઈકાલે એક જ દિવસમાં ૮ લોકોના મોત થયા છે. તેમાં ૨૧ લોકોને નાની મોટી ઇજા થઈ છે. તથા રાજ્યમાં ૧૩ ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યમાં વરસાદના કારણે ૧૦૬ રોડ રસ્તા બંધ થયા છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે. ૧ જૂલાઈના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે માછીમારોને આગામી ચાર દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. પવનની ગતિ ૪૦-૪૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.


ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Related posts

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન! ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો, હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના દ્રશ્યો જોવા મળ્યા

Phone: 9998685264.

વડોદરા /ઉતરાયણના તહેવાર નિમિતે દારૂ પ્યાસી લોકો માટે મોજ કરાવવા રાજસ્થાનથી મંગાવેલો 44 લાખનો દારૂ અને કન્ટેનર પકડાયું, બાતમીના આધારે હરણી પોલીસે દરોડો પાડ્યો

Phone: 9998685264.

ગુજરાતમાં IPS અધિકારીઓ ચેતી જજો! પોતાના પ્રિય પોલીસ અધિકારીઓને સાથે લઈ જવાની પ્રથા ટાળજો, હર્ષ સંઘવીના એક એક્શનથી પોલીસ બેડામાં હાહાકાર

Phone: 9998685264.

Leave a Comment