Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગીર સોમનાથ / સુત્રાપાડામાં ACB નો સપાટો, મંડળીનું બિલ પાસ કરાવવા 5000 ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડ્યો

ગીર સોમનાથ / સુત્રાપાડામાં ACB નો સપાટો, મંડળીનું બિલ પાસ કરાવવા 5000 ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડ્યો

Our Visitor

009761
Total Users : 9761
Total views : 11425
Who's Online : 2

ગીર સોમનાથ / સુત્રાપાડામાં ACB નો સપાટો, મંડળીનું બિલ પાસ કરાવવા 5000 ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડ્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ટીડીઓ રૂ.5000ની લાંચ લેતા ઝડપાયો છે. તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમારે મંડળીનું બિલ પાસ કરવા લાંચ માંગી હતી. જે બાદ ACBએ સફળ ટ્રેપ કરી છે.

પ્રાપ્‍ત વિગતોનુસાર સુત્રાપાડામાં છેલ્‍લા એક વર્ષથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી અમૃત પરમારે તાલુકાની લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે રૂ.5 લાખના કરેલા કામનું બિલ પાસ કરવા માટે રૂ.50 હજારની લાંચ માંગી હતી.
જેને લઇ મંડળીના સંચાલકે એસીબીને ફરિયાદ કરી હતી.

જે માહિતીની ખરાઇ કર્યા બાદ તેના આઘારે જિલ્‍લા એસીબીના સ્‍ટાફે છટકુ ગોઠવ્‍યુ હતુ. જે મુજબ આજે બપોરના સમયે કચેરીમાં પીપળવા સહકારી મંડળીનો પ્રતિનિધિ માંગેલી લાંચની રકમ પેટે રૂ.5 હજાર આપવા તાલુકા કચેરીએ ગયો હતો. જયાં તે ટીડીઓ અમૃત પરમારને લાંચની રકમ આપી ત્‍યારે જ એસીબીના સ્‍ટાફે પહોંચી જઇ અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. જેના પગલે કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. હાલ આ મામલે એસીબીએ નિવેદન નોંધવા અને સર્ચની કામગીરી હાથ ઘરી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ઉચ્ચ સરકારી અધિકારીઓમાં જાણે કે લાંચ લેવાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવી રીતે ગઈકાલે પંચમહાલ જિલ્લાના સહેરા ગામે રૂા.4.45 લાખની લાંચ લેતાં મહિલા ટીડીઓ સહિત ચાર લોકો ઝડપાયા બાદ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા રૂા.3 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઈ ગયા હતા. ત્યારે આજે સુત્રાપાડાના ટીડીઓ પણ લાંચ લેતા પકડાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો


ગીર સોમનાથ / સુત્રાપાડામાં ACB નો સપાટો, મંડળીનું બિલ પાસ કરાવવા 5000 ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડ્યો

Related posts

જૂનાગઢ DYSP એ ગુજરાત પોલીસનો ગૌરવ વધાર્યો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્તે મળ્યો એક્સલેશન ઈન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ,ભાવનગરમા થયેલ ડબલ મર્ડર કેસમાં સચોટ તપાસ કરી આરોપીને આજીવન કેદની સજા કરાવડાવી!

Ritesh Parmar

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

Ritesh Parmar

સાયલા દારૂકાંડ મામલો / જો અપહરણ જ કરવું હોત તો ઉપરી અધિકારીને જાણ શા માટે કરે: બચાવ પક્ષના વકીલની દલીલ! સરકારી વકીલે કહ્યું બંને પક્ષની દલીલો સાંભળી લાગે છે કે આરોપીઓએ દારૂનો જથ્થો સગેવગે કર્યો હોઈ શકે? રિમાન્ડ મંજુર ખુલશે અનેક રાજ

Ritesh Parmar

Leave a Comment