Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ
 
ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Our Visitor

009764
Total Users : 9764
Total views : 11428
Who's Online : 0

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા કેટલાય સમય થી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહેલ સ્થિતિ બાબતે તા.૦૪/૦૧/૨૦૨૩નાં રોજ આપ શ્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવેલ હતી,પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું નથી.
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં મોર,દાંડી, લવાછા ,સાયણ, ,કીમ, કારેલી, દેલાડ, કમરોલી, દેલાસા, સિવાણ, તેના,સોદલાખારા,કનાજ,સોંસક,બરબોધન,સરસ, સેંગવાછામા,ભટ્ટગામ,કઠોદરા, ટૂંડા, ડભારી, ઉમરા,ગોઠાણ,કુડસદ,પીંજરત સહિતનાં ગામોમાં વિવિધ જગ્યાએ ખુલ્લેઆમ અંગ્રેજી અને દેશી દારૂનું આજે પણ વેચાણ થઈ જ રહ્યું છે.

ઓલપાડ તાલુકાનાં લવાછા અને ડભારી ગામે કેટલાક બૂટલેગરો દ્વારા રાજકીય પીઠબળને કારણે ખુલ્લેઆમ  દેશી દારૂનું ઉત્પાદન તેમજ અંગ્રેજી દારૂનું વેચાણ આજે પણ કરવામા આવી રહેલ છે તથા બુટલેગરો ખુલ્લે આમ દારૂની હેરફેર કરી રહ્યા છે.આવા બૂટલેગરો ઉપર લગામ લગાડવાની જરૂર છે.


         ડભારી ગામે આવેલ દરિયા કિનારે(ભાગીવારી) ખોડિયાર માતાજીનું મંદિર આવેલુ છે.જેમાં અનેક હિંદુઓની પવિત્ર ભાવના /આસ્થા રહેલી છે.માતાજીની આવી પવિત્ર જગ્યાએ ખુલ્લે આમ અંગ્રેજી અને દેશી દારૂ  વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતિ સ્થાનિકો દ્વારા ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા દર્શન નાયકને કરવામાં આવેલ છે.ધાર્મિક જગ્યાએ આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાથી ખોડિયાર માતાજીમાં શ્રધ્ધા રાખનાર ભક્તોની લાગણી દુભાઈ રહી છે.

      
ઓલપાડ તાલુકામાં ઓલપાડ ગામ ખાતે આવેલ ઓલપાડ તાલુકા પંચાયત કચેરીની બહાર આજુબાજુના વિસ્તારમાં જ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી અમોને મળેલ છે.ઓલપાડ ગામે જ ઓલપાડ પોલીસ સ્ટેશન આવેલું છે.ઓલપાડ તાલુકા પંચાયત અને ઓલપાડ પોલીસ સ્ટેશનનું અંતર ખૂબ જ ઓછું છે.તેમ છતાં ઓલપાડ પોલીસ દ્વારા ઓલપાડ તાલુકા પંચાયત  કચેરીની બહાર આજુબાજુનાં વિસ્તારમાં દેશી દારૂની થઈ રહેલ વેચાણ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી.જો આમ ને આમ ચાલતું રહ્યું તો ઓલપાડ તાલુકામાં લોકોનો દારૂ દુષણમાં સપડાઈ જશે એવું લાગી રહ્યું છે.

દારૂની ભઠ્ઠીયો

 સુરતના રેન્જ આઇ. જી. દ્વારા જિલ્લામાં ગામદૂત નિયુક્ત કરેલ હોવા છતાં ખુલ્લેઆમ દારૂ  કેવી રીતે વેચાણ થઇ રહ્યો છે? શુ ગામદૂતો માત્ર કાગળ ઉપર બતાવવા પૂરતા જ છે?
      ઓલપાડ તાલુકામાં જાન્યુઆરી ૨૦૨૩ માં પણ ગુજરાતની સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા દારૂ પકડવામાં આવેલ હતો અને ગુજરાતની સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા બે દિવસ પહેલા જ ઓલપાડ તાલુકાના કરમલા ગામ ખાતેથી આસરે ૨૧ લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂ પકડવામાં આવેલ છે.આ બાબત આપશ્રીને સ્થાનિક પોલિસ ના કામ ઉપર શંકા ઉપજાવતી નથી?.જો ગુજરાતની સ્ટેટ વિજિલન્સ ની ટીમ દારૂ પકડી સકતી હોય તો સ્થાનિક પોલિસ દ્વારા કેમ આવા બુટલેગરોને પકડી  કાર્યવાહી કરવામાં આવતી નથી?

  સદર બાબતે દર્શન નાયક દ્વારા કરવામાં આવેલ રજુઆત મુજબ સ્થાનિક પોલીસ દ્વારા નામ પૂરતો દારૂ પકડીને કેસ કરવાને બદલે પોલીસ વિભાગે ગંભીરતાથી કડક પગલાં લઈ  આવી પ્રવૃત્તિ કરતા તત્વોને બીજી વાર આવા કૃત્યો કરે નહીં તે રીતે ડામી દેવાની જરૂર છે.ગુજરાત સરકાર દાવો કરે છે કે રાજ્યમાં ગુનાખોરી ઘટી રહી છે.જેને પરિપૂર્ણ કરવા ઉપરોક્ત મુદ્દાઓને ગંભીરતાથી લઈ આપ શ્રી દ્વારા તત્કાલ પગલાં લેવામાં આવે અને દેશી દારૂ ઉત્પાદન તેની હેરફેર તથા અંગ્રેજી દારૂના વેચાણ સહિતના દુષણો દૂર કરવા માટે તપાસ કરાવી જે કોઈ વ્યક્તિ કે અધિકારીઓ જવાબદાર હોય તેની સામે લોકહિતમાં તત્કાલ કાર્યવાહી કરવામાં આવે.જો આવનાર દિવસોમાં ઓલપાડ તાલુકાના ઉપરોક્ત પ્રશ્નોનું  લોકહિતમાં નિરાકરણ કરવામાં આવશે નહીં તો યુવાનો,મહિલાઓ તેમજ સામાજિક સંસ્થાઓને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.


દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ<br> <br>ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Related posts

ઈમાનદાર અને સ્વચ્છ પાર્ટી હોવાના ફણગા ફૂંકતી આમ આદમી પાર્ટી ઉપર દાગ લગાડતી ઘટના, અગાઉ સુરતમાં પક્ષ પલ્ટુ કોર્પોરેટરોએ નીચું દેખાડ્યું ને હવે દિલ્હીમાં મહિલા કોર્પોરેટર લાંચ લેતા ઝડપાઈ

Ritesh Parmar

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજનો નિર્ણય, આવતી કાલે ગુજરાત હાઇકોર્ટમાં 2 મિનિટ મોન રાખવામાં આવશે, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે આવતી કાલે સવારે 11 વાગે 2 મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

Ritesh Parmar

વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના આરોપીને હેરાન નહી કરવા મહિલા PSI એ લાંચ માંગી, ACB ટીમે છટકું ગોઠવી ખેલ બગાડ્યો

Ritesh Parmar

Leave a Comment