Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

સાબરમતીમાં બાબુ દાઢીના અડ્ડા પર દરોડા પડયાં હતાં
12 આરોપીઓને શરતો સાથે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા
કોર્ટની મંજૂરી વગર રાજ્ય છોડવુ નહીં અને પાસપોર્ટ જમા કરાવવો
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બાબુ દાઢીના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પકડાયેલા પીએસઆઈ સહિત 12 આરોપીઓને શરતો સાથે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.કોર્ટે શરતો મૂકી છે કે, નિયત તારીખે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું, કાયમી સરનામું આપવું, કોર્ટની મંજૂરી વગર રાજ્ય છોડવુ નહીં અને પાસપોર્ટ જમા કરાવવો.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદાર નિર્દોષ છે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવ્યા છે, પોલીસે જે કલમ લગાવી છે તે અમલી બને જ નહીં, ક્યાંય પણ ભાગી જવાના નથી, તપાસમાં સહકાર આપીએ છીએ, કોર્ટ જામીન આપશે તો તમામ શરતોનુ પાલન કરવા તૈયાર છીએ. બીજી તરફ, પોલીસે સોગંદનામું કરીને જવાબ રજૂ કરેલો કે જે લોકોની ધરપકડ કરાયેલી છે, તેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ છે. પોલીસની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, જો કે તેઓ જ ગુનાહિત પ્રવૃત્તિ કરતા મળ્યા છે, રેલવેમાં જુગાર રમાડીને સરકારી મિલકતનો દુરુપયોગ કર્યો છે. જેથી, આરોપીઓની જામીન અરજીને ફગાવી દો. મહત્વનુ છે કે, અમદાવાદ ગ્રામ્ય (જિલ્લા) કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવેલી. જેની સામે, આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી હતી.


અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Related posts

રાજ્યમાં હવે કોરોનાકાળ માં રસીકરણ એજ રામબાણ ઈલાજ! રાજ્યમાં સ્કૂલ કોલજમાં રસી કરણ નું મહાઅભિયાન યોજાયું

Phone: 9998685264.

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Phone: 9998685264.

સુરતમાં ઉપરા છાપરી ચાર હત્યાઓ, કાયદો અને વ્યવ્યસ્થાની સ્થિતિ કથળાઈ, ગૃહમંત્રીના શહેરમાં હત્યાઓના બનતા બનાવો પોલીસ માટે ચેલેન્જ, લોકોમાં ફફડાટ ફેલાયો

Phone: 9998685264.

Leave a Comment