Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Our Visitor

009904
Total Users : 9904
Total views : 11591
Who's Online : 6

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

સાબરમતીમાં બાબુ દાઢીના અડ્ડા પર દરોડા પડયાં હતાં
12 આરોપીઓને શરતો સાથે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા
કોર્ટની મંજૂરી વગર રાજ્ય છોડવુ નહીં અને પાસપોર્ટ જમા કરાવવો
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બાબુ દાઢીના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પકડાયેલા પીએસઆઈ સહિત 12 આરોપીઓને શરતો સાથે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.કોર્ટે શરતો મૂકી છે કે, નિયત તારીખે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું, કાયમી સરનામું આપવું, કોર્ટની મંજૂરી વગર રાજ્ય છોડવુ નહીં અને પાસપોર્ટ જમા કરાવવો.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદાર નિર્દોષ છે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવ્યા છે, પોલીસે જે કલમ લગાવી છે તે અમલી બને જ નહીં, ક્યાંય પણ ભાગી જવાના નથી, તપાસમાં સહકાર આપીએ છીએ, કોર્ટ જામીન આપશે તો તમામ શરતોનુ પાલન કરવા તૈયાર છીએ. બીજી તરફ, પોલીસે સોગંદનામું કરીને જવાબ રજૂ કરેલો કે જે લોકોની ધરપકડ કરાયેલી છે, તેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ છે. પોલીસની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, જો કે તેઓ જ ગુનાહિત પ્રવૃત્તિ કરતા મળ્યા છે, રેલવેમાં જુગાર રમાડીને સરકારી મિલકતનો દુરુપયોગ કર્યો છે. જેથી, આરોપીઓની જામીન અરજીને ફગાવી દો. મહત્વનુ છે કે, અમદાવાદ ગ્રામ્ય (જિલ્લા) કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવેલી. જેની સામે, આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી હતી.


અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Related posts

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને ઘેરવા બંધનું એલાન! મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવા અપીલ, 10 સપ્ટેમ્બરે ગુજરાત સાંકેતિક બંધનો એલાન

Ritesh Parmar

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

Ritesh Parmar

સુરત / કોણ છે આ લોકો જે છેલ્લા 30 વર્ષથી લાઈટબીલ નથી ભરતા! DGVCL ના અધિકારીઓ ચેકીંગમાં જાય તો 200 થી વધારે મહિલાઓ કરતી તેમનો પ્રતિકાર, આખરે સુરત ગ્રામ્ય SP અને મહુવા PI ની મદદ થી જટિલ પ્રશ્નનો સુખાકારી અંત આવ્યો, SP અને PI ને સન્માનિત કરાયા

Ritesh Parmar

Leave a Comment