Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ : આનંદનગર પોલીસ સ્ટેશનના PSI રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા! આરોપીને જામીન અપાવડાવવા અને માર નહી મારવા માટે 50 હજારની લાંચ માંગી હતી

અમદાવાદ : આનંદનગર પોલીસ સ્ટેશનના PSI રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા! આરોપીને જામીન અપાવડાવવા અને માર નહી મારવા માટે 50 હજારની લાંચ માંગી હતી

Our Visitor

009765
Total Users : 9765
Total views : 11429
Who's Online : 0

અમદાવાદ : આનંદનગર પોલીસ સ્ટેશનના PSI રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા! આરોપીને જામીન અપાવડાવવા અને માર નહી મારવા માટે 50 હજારની લાંચ માંગી હતી

નરેશદાન ટાપરીયાને એસીબીએ જોઘપુર ગામ ચોકીમાંથી ઝડપી લીધા
આરોપીને જામીન લેવડાવી માર નહીં મારવાના રૂપિયા માંગ્યા હતા
ગ્રામ્ય એસીબી પીઆઈ એસ.એન.બારોટ અને ટીમનો સપાટો
અમદાવાદમાં આજે એક પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતી જોધપુર ગામ પોલીસચોકીનો પીએસઆઈ રૂ.50 હજાર લેતા ગ્રામ્ય એસીબીના છટકામાં સપડાયો છે.પોલીસકર્મીએ આરોપીને જામીન અપાવડાવવા અને માર નહીં મારવા માટે રૂ.50 હજાર માંગ્યાનું સામે આવ્યું હતું.

શા માટે માંગી હતી લાંચ ?

મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસ મથક હેઠળ આવતી જોધપુર ગામ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા નરેશદાન ઉમેદસિંહ ટાપરીયાએ કામના ફરીયાદીના પતિ વિરુધ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના કામે 151 કરી જામીન લેવડાવી માર નહીં મારવા અને અને પાસા નહી કરવા પેટે રૂ.50,000/- ની લાંચની માંગણી કરેલ હતી પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે છટકું ગોઠવવામાં આવેલ જે છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા સ્વીકારતા જ પોલીસ ચોકીમાં એસીબીની ટીમ ત્રાટકી હતી. તેઓએ નરેશદાનને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. આ ટ્રેપીંગની કામગીરી એસ.એન.બારોટ, પો.ઇન્સ. અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.નાઓએ કરી હતી.


અમદાવાદ : આનંદનગર પોલીસ સ્ટેશનના PSI રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા! આરોપીને જામીન અપાવડાવવા અને માર નહી મારવા માટે 50 હજારની લાંચ માંગી હતી

Related posts

હવે તો હદ થઈ ગઈ,સુરતમાં માદક પદાર્થોની સપ્લાઈ માટે વિદ્યાર્થીનો કરાયો ઉપયોગ, સ્કૂલ બેગમાં પુસ્તકોની જગ્યાએ મળી આવ્યું 2 કિલો અફીણ

Ritesh Parmar

કર્ણાટક / ઓ માઁ તેઆ સુ કર્યું! માતા બની કુ માતા, પોતાની 4 વર્ષની બાળકીને બિલ્ડીંગ થી નીચે ફેંકી દીધી! બાળકીનું મોત, જુઓ સીસીટીવી કેમેરામાં દુઃખદ ઘટના

Ritesh Parmar

રથયાત્રાનું મેગા રીહર્સલ: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી પણ જોડાયા

Ritesh Parmar

Leave a Comment