Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દેવભૂમિ દ્વારકા / સસ્પેન્ડ થયા બાદ પણ ના સુધર્યા ASI, જુગારધામ ઝડપાયું, બે મહિલા સહીત સાત જુગારીઓ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા / સસ્પેન્ડ થયા બાદ પણ ના સુધર્યા ASI, જુગારધામ ઝડપાયું, બે મહિલા સહીત સાત જુગારીઓ ઝડપાયા

Our Visitor

009827
Total Users : 9827
Total views : 11506
Who's Online : 0

દેવભૂમિ દ્વારકા / સસ્પેન્ડ થયા બાદ પણ ના સુધર્યા ASI, જુગારધામ ઝડપાયું, બે મહિલા સહીત સાત જુગારીઓ ઝડપાયા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

જામખંભાળીયા, તા. 27
ખંભાળિયા રાત્રિના સમયે પોલીસે જુગારધામ ઉપર દરોડો પાડી, પોલીસે સસ્પેન્ડેડ પોલીસ દ્વારા ચલાવતા જુગાર પર દરોડો પાડયો હતો. જેમાં બે મહિલાઓ સહિત કુલ સાત ખેલાડીઓ 1.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર કરેલી વિગત મુજબ ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિના અઢી વાગ્યે ચોક્કસ બાતમીના આધારે અહીંના શ્રીજી સાનિધ્ય સોસાયટીની પાછળના ભાગે પિયુષ રસિકલાલ બગડાઈ નામના એક આસમીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના કબજા- ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે જુગાર રમવાના સાધનો પૂરા પાડી, તેના બદલામાં ચોક્કસ રકમ ઉઘરાવી અને ગંજીપત્તા વડે રમતા જુગારમાં પોલીસે માંઝા ગામના સુરા રાજા કારીયા, દેવા ખીમા જામ, કરણસિંહ અજીતસિંહ વાઘેલા, પ્રવીણ સવજીભાઈ નકુમ, મેમુનાબેન મહંમદ ઉમરભાઈ રુંજા અને રંજનબા અજીતસિંહ વાઘજીભીને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ પતાપ્રેમીઓ પાસેથી પોલીસે કુલ 53,700 ની રોકડ રકમ તથા રૂપિયા 11 હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 1.10 લાખની કિંમતની ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,74,700 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ 4-5 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ જેના મકાનમાં જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો, તે પિયુષ બગડાઈ અહીં એ.એસ.આઈ. તરીકે અગાઉ ફરજ બજાવતા હતા અને થોડા સમય પૂર્વે ચોક્કસ કારણોસર જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


દેવભૂમિ દ્વારકા / સસ્પેન્ડ થયા બાદ પણ ના સુધર્યા ASI, જુગારધામ ઝડપાયું, બે મહિલા સહીત સાત જુગારીઓ ઝડપાયા

Related posts

ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરી પ્રાથમિક મંડળીમાં ઉમેરવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો

Ritesh Parmar

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છારાનગર રોડ કટિંગ ની નોટિસ અપાઈ, રોડ કટિંગમાં જાતીય ભેદભાવ હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ! એડવોકેટ શમશાદખાન પઠાણના નેતૃત્વમાં આજે રાજીવગાંધી ભવન ખાતે વાંધા અરજી આપવામાં આવી

Ritesh Parmar

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં દામકા,વાંસવા સહિતના ગામોનાં રોડ, રસ્તા, પાણી તેમજ રોજગારના પ્રશ્ને પડતી મુશ્કેલીઓ ના ઝડપી નિવારણ માટે કલેકટરને પત્ર લખી માંગણીઓ કરાઈ! નિવારણ ના કરવામાં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે કરાશે આંદોલન,” નેતા દર્શન નાયક:

Ritesh Parmar

Leave a Comment