Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

છારાનગર પોલીસ દમન કેસમાં કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે વોરંટ જારી કર્યો, અંતે પોલીસે વિવાદિત પીએસઆઈ મોરીની કરી બદલી
સ્થાનિક લોકો બદલી નહિ પણ ડિસમિસની કરી રહ્યા છે માંગણી

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 909

અમદાવાદ.

છારાનગર પોલીસ દમન કેસમાં કુંભકર્ણ ની જેમ ઊંઘી રહેલી પોલીસ સફાળે જાગી છે.પોલીસ કમિશનરે અચાનક જ નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડી કે મોરીની બદલી કરતા છારાનગર પોલીસ દમન કેસના પીડિતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ આ કેસમાં વિવાદિત પીએસઆઈ ડી. કે. મોરીની બદલી કરી આનંદનગર પોલીસ મથકમાં મુકાયા છે.પરંતુ સ્થાનિક લોકો તેમને ડિસમિસની માંગણી કરી રહ્યા છે.


તાજેતરમાં છારાનગર પોલીસ દમન કેસમાં મેટ્રો કોર્ટે ડી કે મોરી સહિત ચારની વિરુદ્ધ વોરંટ જારી કર્યાના ગણતરીના જ કલાકોમાં પોલીસ કમિશનરે મોરીની બદલી કરવાની ફરજ પડી છે. વર્ષ 2018માં છારાનગરમાં દારૂની રેડ કરવા જતાં મોરી ઉપર લોકોએ હુમલો કર્યો હોવાનું કંટ્રોલ મેસેજ કરી પોલીસને ગુમરાહ કરી હતી.આ મામલે પોલીસે સયુંકત ઓપરેશન કરી લોકોને ઘરમાંથી બહાર કાઢી વાહનોની તોડ ફોડ કરી હતી.27 લોકોની ધરપકડ કરી હતી.તેમાં કેટલાક લોકોએ કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી.જેમાં કોર્ટે સેકટર 2 અશોક યાદવ,ઝોન 4 સ્વેતા શ્રીમાળી ,પી.આઈ. વિરાણી,પી.એસ. આઈ. ડી.કે.મોરી,જે.જી.ધીલ્લોન સામે ફરિયાદ કરી હતી.તેમ છતાં મોરીની પોલીસે સરદારનગર પોલીસ મથક માંથી નરોડા પોલીસ મથકમાં બદલી કરી હતી.જેના લીધે ભોગ બનનાર પ્રજામા રોષની લાગણી ફેલાઈ હતી.

આ મામલે ફરિયાદી આતિષ ઇન્દ્રેકર અને એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર સાથે વાત કરતા જણાયું હતું કે,અમારી માંગણી મોરીને ડિસમિસ કરવાની અને 27 લોકોની વિરુદ્ધ કરેલા કેસો પાછા ખેંચવાની રજુઆત કરી છે.જ્યાં સુધી કસૂરવાર અધિકારીને ડિસમિસ કરવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.

Happy
Happy
33 %
Sad
Sad
0 %
Excited
Excited
67 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

છારાનગર પોલીસ દમન કેસમાં કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે વોરંટ જારી કર્યો, અંતે પોલીસે વિવાદિત પીએસઆઈ મોરીની કરી બદલી<br>સ્થાનિક લોકો બદલી નહિ પણ ડિસમિસની કરી રહ્યા છે માંગણી

Related posts

Ahmedabad – 31st ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નો એક્શન પ્લાન તૈયાર, દારૂ ડ્રગ્સના બંધાણીઓ ચેતજો, નહીંતર જેલના સળિયા પાછળ ધકેલાશો

Phone: 9998685264.

એક એક તલાટી પાસે ચાર ચાર ગામના ચાર્જ હોવાથી ગ્રામીણ પ્રજાને પડી રહી છે મુશ્કેલી!
જિલ્લામાં મંજૂર મહેકમ સામે ૧૦૫ તલાટી ની જગ્યાઓ ખાલી
જિલ્લામાં તલાટી ક્રમ મંત્રીની ઘટ નિવારવા દર્શન નાયક ની માંગ

Phone: 9998685264.

જામનગરમા કાર ચાલક બન્યો બેકાબુ ફુલ સ્પીડમાં ઘરની દીવાલ તોડીને અંદર ઘુસાવી દીધી કાર live વિડીયો

Phone: 9998685264.

Leave a Comment