
અમદાવાદ.
છારાનગર પોલીસ દમન કેસમાં કુંભકર્ણ ની જેમ ઊંઘી રહેલી પોલીસ સફાળે જાગી છે.પોલીસ કમિશનરે અચાનક જ નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડી કે મોરીની બદલી કરતા છારાનગર પોલીસ દમન કેસના પીડિતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ આ કેસમાં વિવાદિત પીએસઆઈ ડી. કે. મોરીની બદલી કરી આનંદનગર પોલીસ મથકમાં મુકાયા છે.પરંતુ સ્થાનિક લોકો તેમને ડિસમિસની માંગણી કરી રહ્યા છે.

તાજેતરમાં છારાનગર પોલીસ દમન કેસમાં મેટ્રો કોર્ટે ડી કે મોરી સહિત ચારની વિરુદ્ધ વોરંટ જારી કર્યાના ગણતરીના જ કલાકોમાં પોલીસ કમિશનરે મોરીની બદલી કરવાની ફરજ પડી છે. વર્ષ 2018માં છારાનગરમાં દારૂની રેડ કરવા જતાં મોરી ઉપર લોકોએ હુમલો કર્યો હોવાનું કંટ્રોલ મેસેજ કરી પોલીસને ગુમરાહ કરી હતી.આ મામલે પોલીસે સયુંકત ઓપરેશન કરી લોકોને ઘરમાંથી બહાર કાઢી વાહનોની તોડ ફોડ કરી હતી.27 લોકોની ધરપકડ કરી હતી.તેમાં કેટલાક લોકોએ કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી.જેમાં કોર્ટે સેકટર 2 અશોક યાદવ,ઝોન 4 સ્વેતા શ્રીમાળી ,પી.આઈ. વિરાણી,પી.એસ. આઈ. ડી.કે.મોરી,જે.જી.ધીલ્લોન સામે ફરિયાદ કરી હતી.તેમ છતાં મોરીની પોલીસે સરદારનગર પોલીસ મથક માંથી નરોડા પોલીસ મથકમાં બદલી કરી હતી.જેના લીધે ભોગ બનનાર પ્રજામા રોષની લાગણી ફેલાઈ હતી.
આ મામલે ફરિયાદી આતિષ ઇન્દ્રેકર અને એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર સાથે વાત કરતા જણાયું હતું કે,અમારી માંગણી મોરીને ડિસમિસ કરવાની અને 27 લોકોની વિરુદ્ધ કરેલા કેસો પાછા ખેંચવાની રજુઆત કરી છે.જ્યાં સુધી કસૂરવાર અધિકારીને ડિસમિસ કરવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.





Total Users : 25
Total views : 93
Who's Online : 0