Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હવે રોકડ ચુકવણીમાંથી મળશે રાહત! અમદાવાદ મંડળ ના વિવિધ સ્ટેશનો પર મુસાફરો ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે

હવે રોકડ ચુકવણીમાંથી મળશે રાહત! અમદાવાદ મંડળ ના વિવિધ સ્ટેશનો પર મુસાફરો ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે

Our Visitor

009765
Total Users : 9765
Total views : 11429
Who's Online : 0

હવે રોકડ ચુકવણીમાંથી મળશે રાહત! અમદાવાદ મંડળ ના વિવિધ સ્ટેશનો પર મુસાફરો ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે

અહેવાલ – રીતેશ પરમાર

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ અને રેલવે બોર્ડની સૂચનાથી અમદાવાદ મંડળ ના તમામ કાઉન્ટરો પર ક્યુઆર કોડ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. રેલવે યાત્રીઓને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ક્યુઆર કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ હેઠળ, અમદાવાદ મંડળના અમદાવાદ,મણિનગર, અસારવા, સાબરમતી તથા સરદારગ્રામ સ્ટેશનો ના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ક્યુઆર કોડ દ્વારા રેલ ટિકિટની ચુકવણી સ્વિકારવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને મંડળના અન્ય તમામ સ્ટેશનો પર પણ બિનઆરક્ષિત અને આરક્ષિત કાઉન્ટર પર ટૂંક સમયમાં જ ક્યુઆર કોડ ના માધ્યમથી ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેલવે યાત્રીઓને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે યુટીએસ મોબાઈલ એપ, એટીવીએમ,પીઓએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ ચુકવણી ના વિવિધ વિકલ્પો અગાઉથી જ ઉપલબ્ધ છે. આ પ્રકારની ડિજિટલ ચુકવણી પ્રણાલીને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મંડળે તેનો વિસ્તાર કર્યો છે. આ નવી ડિજિટલ ચુકવણી પ્રણાલી હવે યાત્રીઓ ને ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

આ પ્રયાસ રેલ યાત્રીઓને વધુ સુવિધાજનક અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું એક પ્રોત્સાહન છે અને તેના માધ્યમ થી ડિજિટલ ચુકવણી માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરવામાં આવી રહ્યા છે.

યાત્રીઓ ને ડિજિટલ ભાડાની ચુકવણી માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે.


હવે રોકડ ચુકવણીમાંથી મળશે રાહત! અમદાવાદ મંડળ ના વિવિધ સ્ટેશનો પર મુસાફરો ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે

Related posts

સુરતના ઉત્રાણમાં પાર્કિંગ બાબતે નજીવી બોલાચાલી બાદ આધેડની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

Ritesh Parmar

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Ritesh Parmar

SP ના મહત્વપૂર્ણ નિર્ણય થી ફરિયાદીઓ થશે ખુશ… એટલુંજ નહી પણ નિર્ણયનો પાલન નહી કરાશે તો પોલીસ સ્ટેશનના PSO સામે કાર્યવાહી થશે, વાંચો સમગ્ર અહેવાલ…

Ritesh Parmar

Leave a Comment