Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં IPS અધિકારીઓ ચેતી જજો! પોતાના પ્રિય પોલીસ અધિકારીઓને સાથે લઈ જવાની પ્રથા ટાળજો, હર્ષ સંઘવીના એક એક્શનથી પોલીસ બેડામાં હાહાકાર

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 6652

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત રાજ્યનું ગૃહ વિભાગ હવે એક નવા જ મામલે એક્શન મોડમાં આવી ગયું છે. જેના ભાગરૂપે હાલમાં ગૃહ વિભાગે આવા IPS અધિકારીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે કે જેને લઈ ક્યા અધિકારી કોને સાથે લઈ જાય છે તેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જે બાદમાં હવે આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ અને માનીતા અધિકારીઓ વચ્ચે ફાટા પાડી અલગ કરવામાં આવી શકે છે. કારણ કે એક વાત સામે આવી છે કે IPS અધિકારીઓની બદલી થઈ ગયા બાદ તેઓ પોતાના માનીતા અધિકારીઓને પણ જ્યાં બદલી થઈ હોય ત્યાં પોતાની સાથે એટલે કે જે-તે જિલ્લા કે શહેરમાં લઈ જતાં હતા, હવે આ બધી ઘટના પછી માનીતાઓને અલગ થવું પડેશે.

હાલમાં ગુજરાત પોલીસને લઈ આ મોટા સમાચાર ભારે વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત પોલીસમાં વ્હાલા ધ્વાલાની નીતિ હવે નહિ ચાલે એ વાત પાક્કી છે. ગૃહ વિભાગને જ્યારે આ વાત ધ્યાને આવતા હવે માનીતા કર્મીઓને સાથે રાખતા IPSનું લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે અને એક્શન લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અનેક વાર વહીવટી કે અન્ય કારણોસર IPS અધિકારીઓની બદલી થતી હોય છે. જેમાં જે-તે શહેર કે જિલ્લામાં IPSની બદલી થયા બાદ તે અધિકારી પોતાના માનીતા અધિકારીઓને પણ પોતાની સાથે લઈ જતાં હોવાનું ધ્યાને આવ્યું છે.

ટૂંકમાં હાલમાં એવું થાય છે કે કોઈ IPS ની બદલી કોઈ પણ શહેર કે જિલ્લામાં થાય તો તેઓ પોતાના માનીતા PI કક્ષાના અધિકારીઓને પણ પોતાની સાથે બદલી કરાવીને લઈ જાય છે. જ્યારે સરકારને આ વાત કાને પડી કે તરત જ હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા અને એક લિસ્ટ તૈયાર કરી નાખ્યું. રાજ્યના ગૃહવિભાગે હવે આ મામલે મોટી કવાયત શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતમાં IPS અધિકારીઓ ચેતી જજો! પોતાના પ્રિય પોલીસ અધિકારીઓને સાથે લઈ જવાની પ્રથા ટાળજો, હર્ષ સંઘવીના એક એક્શનથી પોલીસ બેડામાં હાહાકાર

Related posts

રાજ્ય સરકારે ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા! સરકારના આ નિર્ણયને ગુજરાતનાં વકીલોએ આવકાર્યો

Phone: 9998685264.

અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અને શમશેરસિંહનું નામ મોખરે, 30 એપ્રિલે નિવૃત થશે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Phone: 9998685264.

રાજ્યમાં વધુ એક હત્યાંનો બનાવ, બોટાદમાં નરાધમે પોતાની પત્ની અને ભાભીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા, આરોપી ફરાર

Phone: 9998685264.

Leave a Comment