Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,
લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ
લંપટ સાધુ પોલીસ ગીરફતમાં

હાલોલ પાસે આવેલા ટીંબી ગામે આશ્રમના સંત પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરિણીતાએ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે સાધુની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના લગ્નને 11 વર્ષ વિતી ગયા બાદ નિસંતાન હોવાથી તેણીએ સાધુ પાસે સમસ્યાનું નિવારણ કરવા પહોંચ્યા હતા.સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ટીંબી ગામે રહેતા ક્રિષ્ન કુમાર શિવ વિશાલ ત્રિવેદી (મુળ રહે- બાંદા જિલ્લા, નરૈની તાલુકાના, સૈમરી ગામ-યુપી) (હાલ રહે- ટીંબી ગામ) ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા હતા.

અહિંયા લોકો તેની પાસે સમસ્યાનું નિવારણ કરાવવા આવતા હતા. ક્રિષ્ન કુમાર ધાર્મિક વિધી અને અનુષ્ઠાન થકી લોકોના દુખ દુર કરતા હોવાનો દાવો કરતો હતો. સમય જતા તેણે ટીંબી ગામે આવેલી ટેકરી પર પોતાનું સ્થાન બનાવી લીધું હતું. જોત જોતામાં અહિંયા તેણે આશ્રમ જેવું માળખું ઉભુ કરી દીધું હતું.

ગજરોત ઘોઘંબા તાલુકાના એક ગામે રહેતું દંપતિ આશ્રમની મુલાકાતે આવતું હતું. દંપતિને લગ્નજીવનના 11 વર્ષ વિતી ગયા બાદ પણ નિસંતાન હોવાથી તેમણે મહારાજ પાસે બાધા કરાવવાનું નક્કી કર્યું હતું. મહિલા તેના પતિ સાથે આશ્રમમાં આવી હતી. આશ્રમના સાધુએ તેમને પૂજાના રૂમમાં બોલાવી હતી. અને તેના પતિને બહાર બેસવા જણાવ્યું હતું. સાધુએ સંતાનપ્રાપ્ર્તિ થઇ જશે તેવો વિશ્વાસ આપીને મહિલાને પોતાના રૂમમાં લઇ તેણી સાથે તેની મરજી વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું.

આ બાદ સાધુએ તેણીને આ અંગે કોઇને કંઇ નહિ જણાવવા કહ્યું હતું. જો તેણીની કોઇને કંઇ કહેશે તો સંતાનપ્રાપ્તિ થશે નહિ. જેથી મહિલા ચુપ રહી હતી. ત્યાર બાદ તેણીએ ઘરે જઇને આ સમગ્ર હકીકત તેની બહેનને જણાવી હતી. બહેને ભોગ બનનાર મહિલાના પતિને આ કરતુત અંગે જાણ કરી હતી. જે બાદ રામટેકરીવાળા સાધુ વિરૂદ્ધ 376 મુજબ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, સંતના પરિવારમાં પત્ની અને બે નાના સંતાનો છે. સંતની બે સાળી અને સાળો પણ સાથે જ રહે છે. એ પૈકી એક સાળી પરિણીત છે. ઘટનાના દિવસે બે સંતાનો પણ અહીં જ હોવાનું મહંત ના પરિવારજનોએ જણાવ્યું હતું. ઘટનાના દિવસે સંત સવાર ની પૂજામાં હતા, ત્યારે કેટલાક ભક્તો અહીં આવ્યા હતા. તે પૈકી ઘોઘંબા તાલુકાનું આ દંપતી પણ આવ્યું હતું.


હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,<br>લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

Related posts

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સતર્ક! સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરાઈ

Phone: 9998685264.

ગુજરાતમાં રહેતા તોફાની તત્વો કાન ખોલીને સાંભળી લે, ઈદ હોય કે રામનવમી પથ્થર મારો ચલાવી લેવામાં નહી આવે, એક એક ને દબોચી જેલ ભેગા કરીશુ : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Phone: 9998685264.

ભાજપે 27 વર્ષના શાસનમાં સામાન્ય લોકો સામે માત્ર જુઠાણું ચલાવ્યું! હવે પ્રજા જાગૃત બની ગઈ છે, સુરતના ઓલપાડમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરી કોંગ્રેસની જીતનો દાવો કરતા :દર્શન નાયક:

Phone: 9998685264.

Leave a Comment