Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિશ્વાસઘાત / અમદાવાદના નરોડામાં વેપારી સાથે પોતાના વિશ્વાસુ કારીગરે પીઠમાં છરો ભોક્યો, માલીકના 1 કરોડ 25 લાખના દાગીના લઈ રફુ ચક્કર

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 314

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદના નિકોલમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. વેપારી સાથે કામ કરતાં કારીગરે જ પીઠમાં છરો ભોક્યો હોય એમ પોતાના માલિકના 1 કરોડ 25 લાખ રૂપિયાના સોનાના દાગીના લઈ નાસી છૂટ્યો છે. કરીગર દાગીના સહિત એક્ટીવા લઇ ફરાર થયો છે. આ બનાવ બાદ વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં કરોડોની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદ માણેક ચોક વિસ્તારમાં આવેલી M H જ્વેલર્સ નામની દુકાનના માલિક મુકેશભાઈ અને કારીગર આનંદસિંહ 2 થેલામાં 4 કિલો 625 ગ્રામ સોનાના જડતરવાળા દાગીના સોનીઓની દુકાને બતાવવા નીકળ્યાં હતાં.
ત્યારે રસ્તામાં વેપારી મુકેશભાઈ નરોડા આદિશ્વર કેનાલ પાસે એક્ટીવા ઊભું રાખી સોનાની ભાળ કારીગરને સોંપી કુદરતી હાજતે ગયા હતા પણ કારીગર આનંદસિંહનું મન મેલુ હતું, મુકેશભાઈ શૌચ કરવા ગયા ત્યારે આનંદસિંહ તક ઝડપી 1.25 કરોડના ઘરેણાં ભરેલી બેગ એક્ટીવા સાથે લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વેપારીએ પોલીસ સ્ટેશનમાં જઈ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી.

વેપારીએ ફરિયાદમાં કહ્યું હતું કે, સોનાના દાગીના ભરેલી બેગ લઈ કારીગર ફરાર થઇ ગયો છે. સાથે જ એકટીવા પણ ચોરી ગયો છે. વેપારીની ફરિયાદ અનુસાર, કારીગર એક્ટીવા સહિત 4 કિલો 625 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયો છે. આ કારીગર મૂળ રાજસ્થાનનો છે. જે વેપારીના ત્યાં કામ કરતો હતો. મૂળ રાજસ્થાનના કારીગર આનંદ રાજપૂત અને આનંદને નોકરી રખાવનાર ગણેશ ઘાંચી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સોનાના દાગીનાની કિંમત 1.25 કરોડ રૂપિયા જેટલી થાય છે.

પોલીસે ફરિયાદના આધારે આરોપી કારીગર અને તેના સાગરીતને પકડવાની તજવીજ હાથ ધરી છે. હાલ તો ચોરીના આ બનાવના પગલે વેપારી ચિંતામાં મુકાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વિશ્વાસઘાત / અમદાવાદના નરોડામાં વેપારી સાથે પોતાના વિશ્વાસુ કારીગરે પીઠમાં છરો ભોક્યો, માલીકના 1 કરોડ 25 લાખના દાગીના લઈ રફુ ચક્કર

Related posts

સાવધાન/ ગુજરાત ટ્રાફીક પોલીસ એક્સન મોડમાં, જો હવે પછી હેલ્મેટ કે સીટ બેલ્ટ નહી પહેર્યો હોય તો ચૂકવવું પડશે મોટુ દંડ,

Phone: 9998685264.

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Phone: 9998685264.

ન્યુઝ ચેનલના કેમેરામેન ઉપર હુમલો કરનારા બે ઈસમો ની ધરપકડ કરતી એલિસબ્રિજ પોલીસ! કોણ છે આ હુમલાખોર તત્વો, કોણે અદાવત રાખી કરાવ્યો હુમલો! પોલીસે તપાસ હાથ ધરી, જુઓ સીસીટીવી

Phone: 9998685264.

Leave a Comment