Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત ક્રાઈમ સીટી બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાં માંગતા પોસ્ટરો લાગ્યા, ઉપરા છાપરી હત્યાં,લૂંટ, બળાત્કાર, ખંડણીના બનાવો બનતા ગૃહમંત્રીનો વિરોધ કરતા બેનરો લગાવાયા

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 268

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરત (Surat) શહેરમાં હત્યાના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં લૂંટ-ચોરી, અપહરણ અને હત્યા જેવા ગુનાઓ વધી રહ્યા છે. હવે સુરત શહેરમાં આવા ગંભીર ગુનાઓ સામાન્ય વાત બની ચુકી છે. છેલ્લા એક અઠવાડિયામાં ચારથી વધારે હત્યા, અને ચોરી-લૂંટની ઘટના સર્જાતા સુરત શહેર ‘ક્રાઈમ સીટી’ બની ગયું છે. લાગી રહ્યું છે કે, આ ગુનાખોરોને કાયદા કે પોલીસનો થોડો પણ ડર રહ્યો નથી.
દિવસેને દિવસે હત્યાના બનાવ વધતા, કોંગ્રેસ દ્વારા ઠેરઠેર રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સાથોસાથ પોસ્ટરમાં માંગ કરવામાં આવી છે કે, ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે. પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, ગૃહ મંત્રી રાજીનામું આપે’

સુરત શહેરના પુણા, કાપોદ્રા, સરથાણા અને વરાછા વિસ્તારમાં ઠેરઠેર જગ્યાએ હર્ષ સંઘવી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. સાથોસાથ માંગ કરી છે કે, દિવસેને દિવસે વધતી હતી અને લઈને, તંત્ર શું કરી રહ્યું છે? હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે.

છેલ્લા એક અઠવાડિયામાં ચારથી વધારે હત્યાના બનાવો નોંધાયા છે. સાથોસાથ સુરતના ઘણા વિસ્તારોમાં ચોરી અને લૂંટના બનાવો પણ નોંધાયા હતાં. હમણાં જ 12 ફેબ્રુઆરીના રોજ, જાહેરમાં જ એક યુવકે યુવતીનું ગળું કાપી દર્દનાક મોત આપ્યું હતું. જેનાથી સમગ્ર સુરતમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો. આ બનાવો વધતા સામાન્ય જનતા ડરી ડરીને જીવવા મજબુર થઇ છે, ત્યારે આવા લુખ્ખાતાત્વોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત ક્રાઈમ સીટી બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાં માંગતા પોસ્ટરો લાગ્યા, ઉપરા છાપરી હત્યાં,લૂંટ, બળાત્કાર, ખંડણીના બનાવો બનતા ગૃહમંત્રીનો વિરોધ કરતા બેનરો લગાવાયા

Related posts

ગુજરાત પોલીસમાં બદલીઓ બઢતીઓ કરાઈ! 22 IPS ની બઢતી સાથે બદલી, જયારે 82 dysp કક્ષાના અધિકારીઓની પણ બદલી કરાઈ

Phone: 9998685264.

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Phone: 9998685264.

SP ના મહત્વપૂર્ણ નિર્ણય થી ફરિયાદીઓ થશે ખુશ… એટલુંજ નહી પણ નિર્ણયનો પાલન નહી કરાશે તો પોલીસ સ્ટેશનના PSO સામે કાર્યવાહી થશે, વાંચો સમગ્ર અહેવાલ…

Phone: 9998685264.

Leave a Comment