Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની મહત્વની જાહેરાત, ગુરુવારથી ખુલશે પ્રિ-સ્કૂલ, આંગણવાડી, અને બાલમંદિર

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 274

રીતેશ પરમાર

પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સંચાલકોને અભ્યાસ શરૂ કરવા સૂચના

કોરોનાના કેસમાં ઘટાડો થતાં પ્રિ-સ્કૂલ, આંગણવાડી અને બાલમંદિરો ગુરૂવારથી ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતીનું નિરીક્ષણ કરી ગુરૂવારથી ભૂલકાઓને બોલાવી અને અભ્યાસક્રમ શરૂ કરવા સંચાલકો અને આંગણવાડી કાર્યકરોને શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે તેમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે અને ત્રીજી લહેર ખતમ થવા ઉપર છે. ત્યારે શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે અને ધો.1થી 5ની શાળાઓ પણ શરૂ છે. ત્યારે પ્રિ-સ્કૂલ, આંગણવાડી અને બાલમંદિર ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે વાલીઓ પાસેથી સહમતી પત્રક ભરાવવામાં આવશે અને ત્યારબાદ ભૂલકાઓને પ્રવેશ અપાશે. આ માટે સરકાર દ્વારા સંબંધિત અધિકારીઓને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને હજુ પણ ભૂલકાઓ માટે સારામાસારી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે માટે સરકાર કટિબધ્ધ છે.
કોરોનાની પ્રથમ લહેરમાં શાળા-કોલેજો અને આંગણવાડી, બાલમંદિરો બંધ કરવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિતી થાળે પડતાં શાળા-કોલેજો શરૂ કરવામાં આવી હતી. પરંતુ બાલમંદિર, આંગણવાડી અને પ્રિ-સ્કૂલો ખોલવામાં આવી હતી નહીં. હાલ પરિસ્થિતી કાબૂમાં આવતા ભૂલકાઓના શિક્ષણને અને તેની પ્રતિભાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે વર્ષથી આંગણવાડી, બાલમંદિરો અને પ્રિ-સ્કુલો સુમસામ હતા તે ગુરૂવારથી ભૂલકાઓની કીલકીલીયારીથી ગુંજી ઉઠશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની મહત્વની જાહેરાત, ગુરુવારથી ખુલશે પ્રિ-સ્કૂલ, આંગણવાડી, અને બાલમંદિર

Related posts

યુવકને પોતાની ભૂલ પડી ભારે! મુંબઈમાં પ્લેટફોર્મ પર હાથ ધોતી વખતે ટ્રેન સાથે અથડાતાં યુવકનું મોત, જુઓ હચમચાવી દેનારો Video

Phone: 9998685264.

અમરેલીની મોંઘીબા કોલેજમાં વિધાર્થીઓ અને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન, કોલેજના સમયમાં ફેરફાર કરવા મામલે ટ્રસ્ટીઓએ રસ ના દાખવતા કોલેજની તાળાબંધી જુઓ વિડીયો

Phone: 9998685264.

નવરાત્રી પર્વ છે સાધનાનું, નહીં કે વાસનાનું, વાંચો નવરાત્રી પર્વમાં કેવી ઘટનાઓ બને છે….

Phone: 9998685264.

Leave a Comment