Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ શ્રમિકોને 5 રૂપિયામાં અપાશે ભોજન, કોરોનાકાળમાં બંધ કરાયેલ અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરાશે

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 1
Views 3559

આગામી સમયમાં આ પ્રકારના ભોજન કેન્દ્રો તબક્કાવાર રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે
ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી તા.૦8 ઓકટોબરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રોનું તથા શ્રમયોગીઓને યોજનાકીય લાભોના ઓનલાઇન વિતરણ માટેના શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂ.5માં બાંધકામ શ્રમિક તથા તેના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. તથા શ્રમ સન્માન પોર્ટલ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકાશે, તથા કરેલ અરજીનું લાઈવ સ્ટેટસ જાણી શકાશે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ-૨૨ કડીયાનાકાઓ પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થનાર છે. જે તબક્કાવાર સમગ્ર રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હાલમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ બાંધકામ શ્રમયોગીઓ માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી કુલ-20 યોજનાઓ કાર્યરત છે. જ્યારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ સંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કુલ-14 યોજનાઓ કાર્યરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ મેળવવા માટે શ્રમિકની બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી હોવી જરૂરી છે. જે નોંધણી કરાવ્યા બાદ તેમને ઓળખ સ્વરૂપે ઇ-નિર્માણ કાર્ડ આપવામાં આવે છે. આ નોંધણી સ્વનોંધણી, સી.એસ.સી. સેન્ટર તથા ઇ ગ્રામ કેન્દ્રોના માધ્યમથી કરાવી શકાય છે. વધુમાં, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ સંગઠિત ક્ષેત્રના શ્રમિક કે જેઓના વેતનમાંથી શ્રમયોગી કલ્યાણ ફંડના ફાળાની કપાત થાય છે તેઓ મેળવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ શ્રમિકોને 5 રૂપિયામાં અપાશે ભોજન, કોરોનાકાળમાં બંધ કરાયેલ અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરાશે

Related posts

અમદાવાદ / પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ ઘર છોડ્યું, રસ્તામાં જેઠે રોકીને કહ્યું મારા ભાઈ સાથે ના રહેવું હોય તો મારી સાથે રહેવા આવીજા, મહિલાએ જેઠને બે લાફા મારી દીધા

Phone: 9998685264.

ન્યુઝ ચેનલના કેમેરામેન ઉપર હુમલો કરનારા બે ઈસમો ની ધરપકડ કરતી એલિસબ્રિજ પોલીસ! કોણ છે આ હુમલાખોર તત્વો, કોણે અદાવત રાખી કરાવ્યો હુમલો! પોલીસે તપાસ હાથ ધરી, જુઓ સીસીટીવી

Phone: 9998685264.

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

Leave a Comment