Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતના 24 IPS અધિકારીઓને દોઢ મહિનાની ટ્રેનીંગ માટે હૈદરાબાદ મોકલવાનો નિર્ણય! અમદાવાદમાં IPS અધિકારીઓના ઝોન બદલાય તેવી શક્યતાઓ

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 6399

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 24 IPS અધિકારીઓને હૈદરાબાદ સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રેનિંગ સેન્ટર ખાતે મોકલવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગે બહાર પાડેલા આદેશ અનુસાર અમદાવાદ શહેરના મુખ્ય ચાર પોલીસ અધિકારીઓ ઝોન-7ના ડીસીપી ભગીરથ સીંહ જાડેજા, ઝોન-2 જયદિપસીંહ જાડેજા, અત્યંત સંવેદનશીલ સાબરમતી મધ્યસ્થ જેલ સુપ્રિટેન્ડન્ટ ડો.તેજસ પટેલ, આતંકવાદી અને દેશદ્રોહની પ્રવૃત્તિ અટકાવવાનુ કામ કરતી એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાનો સમાવેશ કરવામા આવ્યો છે.

45 દિવસ સુધી ટ્રેનીંગ અપાશે

હૈદરાબાદ ખાતે આ તમામ અધિકારીઓને 45 દિવસ સુધી ટ્રેનીંગ આપવામાં આવશે. જો કે આટલા લાંબા સમયગાળા માટે IPSની જગ્યાઓ ખાલી ન રાખી શકાય તે માટે તેમના સ્થાને અન્ય અધિકારીઓને તેમનો ચાર્જ સોંપવાનો નકકી કરી દીધો છે. અમદાવાદ શહેરના ઝોન-7 વિસ્તારના ડીસીપી ભગીરથસીંહ જાડેજાના તાબામાં આવતાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાઇપ્રોફાઇલ લોકો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ રહેતા હોવાથી તેમનો ચાર્જ ક્રાઇમ બ્રાંચના ઇકોનોમિક સેલના ડીસીપી ભારતીબેન પંડ્યાને સોપવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે.

ક્યાં અધિકારીઓને કોનો ચાર્જ સોંપવામાં આવ્યો

બીજી તરફ શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં ઝોન-2 ડીસીપી જયદિપસીહ જાડેજાનો ચાર્જ ટ્રાફિક ડીસીપી અને સ્વરછ પ્રતિભા ધરાવતા તેમજ દેશના યંગેસ્ટ અધિકારી તરીકે જાણીતા શફિન હસનને સોપાશે તેમ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ખેડા ડીએસપી રાજેશ ગઢીયાનો ચાર્જ નડીયાદ ડીવાયએસપી વી.આર બાજપાઇ ને સોંપવામાં આવ્યો છે. તેમજ સુરેન્દ્રનગર ડીએસપી હરેશ દુધાતનો ચાર્જ લઠ્ઠાકાંડના કારણે વિવાદમાં આવેલા વિરેન્દ્રસિંહ યાદવને સોપવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતના 24 IPS અધિકારીઓને દોઢ મહિનાની ટ્રેનીંગ માટે હૈદરાબાદ મોકલવાનો નિર્ણય! અમદાવાદમાં IPS અધિકારીઓના ઝોન બદલાય તેવી શક્યતાઓ

Related posts

સુરતમાં એક મહિલા પોતાના બાળકોને લઈ જઈ રહી હતી આત્મહત્યા કરવા, મુસ્લિમ રીક્ષા ડ્રાઈવર બન્યો મસીહા, બાળકો અને મહિલાનો જીવ બચાવ્યો,

Phone: 9998685264.

વડોદરા / કારેલીબાગ વિસ્તારમાંથી ચોરી થયેલ 21 મોબાઈલના ગુનાના ભેદ ઉકેલાયા, કારેલીબાગ પોલીસે મોબાઈલનો કબ્જો મેળવી મૂળ માલિકને પરત કર્યા, પોલીસની કાર્યવાહીના લીધે ફરિયાદીઓ ના ચહેરા ઉપર સ્મિત દેખાયો જુઓ વિડીયો

Phone: 9998685264.

અમરાઈવાડીમાં ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા ત્રિજની ભવ્ય ઉજવણી! ભજન કીર્તન અને નૃત્ય નાટકો ભજવાયા, કલકત્તા દુષ્કર્મ ઘટનાને લઈ મહિલાઓમાં આક્રોશ

Phone: 9998685264.

Leave a Comment