Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં ફરી એક વખત વેપારી ઉપર જીવલેણ હુમલો, 4 અજાણ્યા સખશોએ મંડપના વેપારી ઉપર ધારદાર હથિયાર થી હુમલો કરી ફરાર, જુઓ સીસીટીવી

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 275

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરતની એક ભયજનક ઘટના સામે આવી છે. સુરતના નવાગામ ચિતા ચોકમાં બુધવારના રોજ રાત્રે એક મંડપ ડેકોરેશનના વૃદ્ધ વેપારી પર ચાર અજાણ્યા યુવકો દ્વારા ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર વૃદ્ધ વેપારી પર 10 સેકન્ડમાં ધારદાર વસ્તુઓ વડે ચાર વખત પ્રહાર કરવામાં આવ્યો હતો.

ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર હપ્તો નહીં આપતા વૃદ્ધ વેપારી પર પ્રહાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બનતા જ વૃદ્ધ વેપારી ભરતભાઈ પાટીલે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

મળતી માહિતી અનુસાર આરોપીઓ સ્થાનિક હોવાનું હાલમાં બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ સીસીટીવી

આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોએ જણાવ્યું કે ભરતભાઈ તુકારામ પાટીલ 35-40 વરસથી ભારત મંડપ ડેકોરેશન નો ધંધો કરે છે. મળતી માહિતી અનુસાર તેઓ તેના ત્રણ દીકરાઓ અને તેની પત્ની સાથે રહે છે.

સ્થાનિક લોકોએ આ ઘટનાને લઇને જણાવ્યું કે હપ્તો ના આપવાના કારણે ભરતભાઈ પર આ પ્રહાર થયો છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ ભરતભાઈ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભરતભાઈ પર ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરવામાં આવ્યો હતો.

તેના કારણે ભરતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ તેને સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતમાં ફરી એક વખત વેપારી ઉપર જીવલેણ હુમલો, 4 અજાણ્યા સખશોએ મંડપના વેપારી ઉપર ધારદાર હથિયાર થી હુમલો કરી ફરાર, જુઓ સીસીટીવી

Related posts

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

Phone: 9998685264.

ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું, દીકરી માટે છોકરો જોવા જતા પરિવારનો રસ્તમાં ગંભીર અકસ્માત સર્જાયો, માતા સહીત 2 ના મોત

Phone: 9998685264.

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Phone: 9998685264.

Leave a Comment