Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દ્વારકા /અંધશ્રધ્ધામાં આવી પતિ પોતાની પત્નીને ભુવાજી પાસે લઈ ગયો, ભુવાજીએ ધુણતી મહિલાને ગરમ સાંકળથી ફટકારતા મોત

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 305

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આધુનિક અને વિકસતા જતા હાલના સમયમાં પણ અંધશ્રદ્ધા કેટલી જીવલેણ બની રહે છે, તેનો જીવંત પુરાવો દેવભૂમિ દ્વારકા ખાતે બન્યો છે. દ્વારકા નજીક આવેલા ઓખા મઢી ખાતે આરંભડાના એક મહિલા ધુણવા લાગતા તેણીને કથિત ભુવા સહિતના શખ્સોએ લોખંડની ગરમ સાંકળના ઘા ફટકારી, હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ઓખામંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા વાલાભાઈ માકાભાઈ સોલંકી નામના બત્રીસ વર્ષના હિન્દુ ડફેર યુવાનની 25 વર્ષીય પત્ની રમીલાબેન વાલાભાઈ સોલંકી તેમના પતિ સાથે દ્વારકા હાઈ-વે રોડ ઉપર ઓખા મઢી વિસ્તારમાં એક દરગાહ સામે મેલડી માતાના મંદિર ખાતે નવરાત્રીના તહેવારોની ઉજવણી કરવા ગઈ હતી.
આ દરમિયાન આજરોજ રમીલાબેન ધુણવા લાગ્યા હતા તેને જોઈ અને આ સ્થળે રહેલા મૃતકના પરિવારજનો એવા રમેશ લખમણ સોલંકી, અર્જુન ઉર્ફે ભૂરી ભરત સોલંકી, વેરસી માકા સોલંકી, મનુ વિરા સોલંકી તેમજ ભાવેશ માકા સોલંકી નામના પાંચ શખ્સોએ કહેલ કે, “આ મસાણની મેલડી છે, એને મારો. નહીંતર આપણને બધાને મારી નાંખશે”- તેમ કહી, અંધશ્રદ્ધામાં આવી અને લોખંડની સાંકળ ચૂલામાં તપાવી, આ ધગધગતી સાંકળ વારાફરતી રમીલાબેનના શરીર ઉપર ઘા કરવા લાગ્યા હતા. આ ઉપરાંત સળગતા લાકડાથી તેણીને ડામ આપતા આખરે આ મહિલાનું ગંભીર હાલતમાં કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી મૃતક મહિલાના સંબંધી એવા પાંચ શખ્સો સામે આઇ.પી.સી. કલમ 302, 34 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવે ભારે ચકચાર જગાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દ્વારકા /અંધશ્રધ્ધામાં આવી પતિ પોતાની પત્નીને ભુવાજી પાસે લઈ ગયો, ભુવાજીએ ધુણતી મહિલાને ગરમ સાંકળથી ફટકારતા મોત

Related posts

નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું! પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા, પ્રોહિબિશનના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી 45 હજાર માંગ્યા હતા

Phone: 9998685264.

આજે રાત સુધીમાં ADG, IG, DIG ની બદલીઓનો આદેશ આવી શકે છે! રાજકોટના નવા પોલીસ કમિશ્નર પણ જાહેર થશે!

Phone: 9998685264.

અમદાવાદ/ વેજલપુર વિધાનસભાનાં સરખેજ વોર્ડમાં માહેશ્વરી સંગીની સંગઠન દ્વારા ઉમદા કાર્ય, વિધવા બહેનોને વિના મુલ્યે સિલાઈ મશીન આપી પગભર થવા સંગઠન બન્યો મદદરૂપ

Phone: 9998685264.

Leave a Comment