Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજ્ય સરકારે ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા! સરકારના આ નિર્ણયને ગુજરાતનાં વકીલોએ આવકાર્યો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 1091

રાજકોટ તા.4

રાજ્ય સરકારે ધારાશાસ્ત્રીઓના વેલફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા છે. જેને લઈ રાજ્યના તમામ બારના વકીલોએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. આ અંગે બાર કાઉન્સિલ ઓલ ગુજરાત દ્વારા જણાવાયું છે કે, ગુજરાત સરકારે બજેટ સત્ર દરમિયાન ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે રૂપિયા 6 કરોડ જેટલી માતબર રકમની સહાયની જાહેરાત ભાજપ શાસિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે વિધાનસભા ગૃહમાં કરી હતી.
તે અન્વયે કેબીનેટ મંત્રી મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ રૂ. 6 કરોડનો ચેક ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારો ચેરમેન અનિરૂધ્ધસિંહ એચ. ઝાલા, વાઇસ – ચેરમેન રમેશચંદ્ર એન. પટેલ, ચેરમેન એકઝીક્યુટીવ કમિટીના સી.કે.પટેલ અને પૂર્વ – ચેરમેન કિશોરકુમાર આર.ત્રિવેદીને આજરોજ એનાયત કર્યો હતો. રાજય સરકાર સમક્ષ સમગ્ર વકીલોને આર્થિક સહાયતા મળી રહે તે માટે ભાજપ લીગલ સેલના ક્ન્વીનર તથા પૂર્વ ચેરમેન જે.જે.પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સમરસ ટીમે રજૂઆત કરી હતી.

તદ્દઉપરાંત, આ અગાઉ ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રૂ.2.22 કરોડની સમગ્ર ગુજરાતના વકીલ મંડળોને ઇ – લાઇબ્રેરી મળી રહે તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માધ્યમથી સહાય કરી હતી પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ગુજરાત રાજયના વકીલોને કલ્યાણ અર્થે રૂ. પાંચ કરોડ જેટલી માતબર સહાયની રકમ મળી હતી. આ તકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કાયદા – મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, ભાજપ પ્રદેશ કન્વીનર લીગલ સેલ તથા પૂર્વ – ચેરમેન જે.જે.પટેલનો આભાર માન્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજ્ય સરકારે ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા! સરકારના આ નિર્ણયને ગુજરાતનાં વકીલોએ આવકાર્યો

Related posts

વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

Phone: 9998685264.

દુઃખદ / ભાજપ પક્ષ માટે આઘાત જનક સમાચાર ઊંજાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનુ દુઃખદ નિધન, ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Phone: 9998685264.

ગુજરાતમાં અશાંતિ ફેલાવનારા અપરાધીઓની હવે ખેર નથી, ગેરકાયદેસર હથિયારોના જોરે ગુજરાતની શાંતિ ડહોળનારાને બકસવામાં નહી આવે, પોલીસ વડા આશિષ ભાટિયા

Phone: 9998685264.

Leave a Comment