Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ પોલીસ કમિશ્નર તોડકાંડમા પડઘા, પાડાના વાંકે પખાલીને ડામ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ના તમામ 8 PSI ની બદલી, PI ને ગાંધીનગર ભેગા કરાયા

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 383

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટના પોલિસ કમિશનર મનોજ અગ્રવાલના કથિત તોડકાંડ સહિત હપ્તાવસુલીના આરોપને કારણે રાજ્યના પોલીસ બેડા અને તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મોટી કાર્યવાહી કરી દીધી હોવાના અહેવાલ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ના તમામ પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે. તમામ પીએસઆઈને અસંવેદનશીલ વિસ્તારોમાં બદલી કરી દેવાઇ છે.
અમુક PSI રાજકોટ બહાર અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.

ક્રાઇમબ્રાંચના પીઆઇ વિરલ ગઢવીની પણ બદલી કરી દેવાઇ છે. વડોદરામાં આવેલી પોલીસ ટ્રેનિંગ સ્કુલ ખાતે વિરલ ગઢવીને પોસ્ટિંગ અપાયુ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે આ કેસમાં તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા. એક સાથે રાજકોટનાં તમામ પીએસઆઇઓની બદલી કરવામાં આવી હતી. તમામ રાજકોટ શહેરનાં પીએસઆઇઓની બદલી કરાઇ હતી. ધાખડા પ્રવિણભાઇ માધુભાઇ (વડોદરા શહેર), જાડેજા વનરાજસિંહ જશુભા (સુરત શહેર), ઝાળા મયુરધ્વજસિંહ મહેન્દ્રસિંહ (પશ્ચિમ રેલવે અમદાવાદ), રબારી મહેશભાઇ વાલજી ભાઇ (પશ્ચિમ રેલવે વડોદરા), જેબલીયા પૃથ્વીરાજ બાભલુભાઇ(વડોદરા શહેર), ખાચર જયરાજભાઇ અકુભાઇ(કચ્છ પશ્ચિમ), અંસારી મહમદઅસ્લમ શૌકતઅલી (વડોદરા ગ્રામ્ય), પંડ્યા તુષાર બકુકભાઇ (તાપી-વ્યારા) અને પોલીસ ઇન્સપેક્ટર આર. વાય રાવલની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર અને રાજકોટ ક્રાઇમબ્રાંચ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સાંસદ અને ધારાસભ્યએ પોલીસ અને પોલીસ કમિશ્નર વિરુદ્ધ ફરિયાદ કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્યની ફરિયાદના પગલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ દોડતા થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ પોલીસ કમિશ્નર તોડકાંડમા પડઘા, પાડાના વાંકે પખાલીને ડામ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ના તમામ 8 PSI ની બદલી, PI ને ગાંધીનગર ભેગા કરાયા

Related posts

કુબેરનગર ખાતે ભાનુ વિદ્યાલયના સાનિધ્યમાં તેમજ છારા સમાજના પ્રથમ શિક્ષણવિદ ડો. કેતન ઇન્દ્રેકર સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિતે વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કરાયા! ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા કરાઈ ઉત્કૃષ્ટ કામગીરી

Phone: 9998685264.

અમદાવાદના વટવામા ધીંગાણુ, તલવાર, લોખંડના પાઈપ થી ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા, વટવા પોલીસે કરી બે લોકોની અટકાયત ઇસનપુરના પોલીસકર્મીની સંડોવણી

Phone: 9998685264.

ચોરટાઓ ભગવાનના ઘરે ચોરી કરી ગયા! ધર્મજ ગામના જલારામ મંદિરમાં 1.75 લાખની મત્તાની ચોરી

Phone: 9998685264.

Leave a Comment