Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દાહોદમાં જાતરની વિધીમાં બકરાનું મટન ખાધા બાદ 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયાની આશંકા,4 લોકોના મોત, સાચું કારણ વીસેરાના પરીક્ષણ બાદ સામે આવશે

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 272

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાત(Gujarat): દાહોદ(Dahod)ના દેવગઢ બારિયા(Devgarh Baria) તાલુકાના ભુલવણમાં સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા અને તેની સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ અચાનક જ તેમની તબિયત લથડતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના દરમિયાન 4 લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

12 લોકોને દેવગઢ બારિયાના સરકારી હોસ્પીટલમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરવામાં આવ્યા છે. તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રથમ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરવામાં આવતી જાતરની વિધિ ગત રવીવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાને કારણે તેની પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી. વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.

ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય તંત્ર ભુલવણ પહોંચ્યું:
સમગ્ર ઘટનાને પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ દોડી આવી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ધારાસભ્ય બચુભાઇ ખાબડ, એસપી, તેમજ જીલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતાં. આ ઘટના અંગે આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો મોડી રાત સુધી તપાસમાં જોડાયેલી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દાહોદમાં જાતરની વિધીમાં બકરાનું મટન ખાધા બાદ 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયાની આશંકા,4 લોકોના મોત, સાચું કારણ વીસેરાના પરીક્ષણ બાદ સામે આવશે

Related posts

ગુજરાતનાં યુવા અને પ્રતિભાશાળી રણજી ક્રિકેટર અવી બારોટનું હાર્ટ અટેક થી દુઃખદ અવસાન, ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ

Phone: 9998685264.

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Phone: 9998685264.

રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી હોટેલમાં પોલીસની રેડ, હોટલમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપાઈ, મેનેજર સહીત 8 જુગારીયાઓ 1.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Phone: 9998685264.

Leave a Comment