
રાધિકા દુષ્કર્મના કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામે બાકી રહેલી સજાને રદ્દ કરવા અને નિર્દોષ ઠેરવવા દાદ માગતી ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ માં સરકાર પક્ષ દ્વારા પીડિત પક્ષને પણ સાંભળવાની અને રજૂઆતની તક આપવા અદાલત સમક્ષ માંગ કરવામાં આવી હતી.
જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ વિમલ કે.વ્યાસની ખંડપીઠે આસારામની અપીલની વધુ સુનાવણી સોમવાર પર રાખી હતી. આસારામની અપીલના કેસમાં રાજ્ય સરકાર તરફથી અધિક સરકારી વકીલ આર.સી.કોડકરે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આસારામની અપીલની સુનાવણી થાય અને તેમની રજૂઆત કોર્ટ સાંભળે તે પહેલા અપીલના સ્ટેજ પર પીડિત પક્ષને સાંભળવા પડે.

આસારામ વિરુદ્ધના સંવેદનશીલ કેસમાં હાઈકોર્ટે પણ પીડિત પક્ષને સુનાવણીની તક પુરી પાડી તેને સાંભળવા જોઇએ. સરકાર પક્ષ ની રજૂઆત ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી સોમવાર પર રાખી છે. તેથી હવે અપીલની સુનાવણીના તબક્કે પીડિત પક્ષને સાંભળવા કે કેમ તે મુદ્દે હાઈકોર્ટે સોમવારે નિર્ણય કરે તેવી સંભાવના છે.





Total Users : 115
Total views : 217
Who's Online : 0