Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેનિયન મહિલાએ શીશ ઝુકાવ્યું! રશિયા અને યુક્રેન નું યુદ્ધ બંધ થાય એવી ડભોડા દાદાને હૃદયથી પ્રાર્થના કરી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2556

આખા ગુજરાતમાં સુપ્રસિદ્ધ અને ચમત્કારિક સ્વયંભુ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેન થી આવેલી યુવતીએ શીશ નમાવી અને પ્રાર્થના કરી હતી .રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતું યુદ્ધ બંધ થાય અને યુક્રેન ના લોકો યુદ્ધની નરસંહારમાં થી મુક્ત થાય એવી દાદાની પ્રાર્થના કરી હતી. બંને દેશો વચ્ચેના યુદ્ધને કારણે નરસંહાર થયો છે .યુક્રેન દેશ ને બેઠો થવામાં ઘણો સમય લાગશે વિશ્વ દ્વારા પણ યુક્રેનને ફરી બેઠો થવામાં મદદ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.


યુક્રેન થી આવેલી વેલેરીયા દોગ્રો વોલ્સકા નામની મહિલાએ હિન્દુ દેવી-દેવતાઓમાં ખૂબ જ આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે.ભારતમાં ત્રીજી વાર પોતાના વ્યવસાયિક કામથી આવી હતી. તેણે અવારનવાર હનુમાનજી વિશે અને તેમના ચમત્કારો વિશે ઘણું સાંભળ્યું હતું. આજે કંપનીના ગાંધીનગર સ્થિત ઓળખીતા દ્વારા યુવતીને ડભોડિયા હનુમાનજી દાદાના દર્શન કરાવવા માટે લઈને આવ્યા હતા. ડભોડા દાદાના દર્શન કરીને યુવતી ખૂબ જ ભાવવિભોર બની ગઈ હતી અને માનસિક શાંતિ અનુભવી હોવાની વાત કરી હતી. ડભોડા દાદાને પ્રાર્થના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી વાત સમજાવવામાં આવતા યુવતીએ ડભોડા દાદાને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતુ યુદ્ધ બંધ થાય અને સ્થિતિ થાળે પડે એવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે આ યુવતી તેના પોતાના ઘરે પણ પૂજા સ્થાન બનાવ્યું છે અને તેમાં દેવી દેવતાઓના ફોટા રાખ્યા છે .યુવતીએ ડભોડા દાદા નો ફોટો પોતાની સાથે લીધો હતો અને પૂજા સ્થાનમાં રાખીને પૂજા કરશે એવી ભાવના વ્યક્ત કરી હતી. આમ ડભોડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને ચમત્કારિક ડભોડિયા હનુમાનજી દાદાના ચરણોમાં વિદેશીઓ પણ શીશ ઝુકાવીને માનતા રાખતા થયા હોવાની ઘટના જોવા મળી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેનિયન મહિલાએ શીશ ઝુકાવ્યું! રશિયા અને યુક્રેન નું યુદ્ધ બંધ થાય એવી ડભોડા દાદાને હૃદયથી પ્રાર્થના કરી

Related posts

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

Phone: 9998685264.

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની મહત્વની જાહેરાત, ગુરુવારથી ખુલશે પ્રિ-સ્કૂલ, આંગણવાડી, અને બાલમંદિર

Phone: 9998685264.

ગુજરાતમાં શીતલહેર થી લોકો ઠુંઠવાયા, નલિયા સૌથી ઠંડુ 2 ડિગ્રી, અમદાવાદ, જામનગર,ડીસામાં પણ ઠંડા પવનથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત, મોટા ભાગના શહેરોમાં બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી

Phone: 9998685264.

Leave a Comment