Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

યુક્રેન સરકારને નડ્યું પોતાનું જ અભદ્ર વર્તન, મહાકાળી માતાનો વાંધાજનક ફોટો શેર કરી માંગવી પડી માફી

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 7443

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેને એક મોટી ભૂલ કરી, જેનો તેને હવે પસ્તાવો થઈ રહ્યો છે. યુક્રેને હિંદુ ધર્મની પૂજનીય માતા કાલીનો વાંધાજનક ફોટો શેર કર્યો હતો, જેના પર ભારતીય યુઝર્સ ભડક્યા હતા. આના કારણે યુક્રેનને પોતાની ભૂલનો અહેસાસ થયો, ત્યારપછી યુક્રેને પોતાની ભૂલ સ્વીકારી લીધી અને મા કાલીનો વાંધાજનક ફોટો હટાવી દીધો છે.યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મા કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કર્યો હતો. આના પર ભારતીય યુઝર્સે જોરદાર નિશાન સાધ્યું હતું. ભારતીયોએ યુક્રેનના આ કૃત્ય માટે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર પાસે કાર્યવાહીની માંગ પણ કરી હતી. યુઝર્સે યૂક્રેનના આ હેન્ડલ વિરુદ્ધ ટ્વિટરના માલિક ઈલોન મસ્ક પાસેથી કાર્યવાહીની માંગ કરવાનું શરૂ કર્યું. ટ્વિટર પર આ મામલો ગરમાયો હતો. આ પછી, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયને તેની ભૂલનો અહેસાસ થયો. યુક્રેને મા કાલીનો વાંધાજનક ફોટો તાત્કાલિક અસરથી ડિલીટ કર્યો.

30 એપ્રિલના રોજ, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @DefenceU દ્વારા મા કાલીનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં મા કાલી અભદ્ર સ્વરૂપમાં બતાવવામાં આવ્યા હતા. જો કે, આ ટ્વીટનો હેતુ શું હતો તે સમજની બહાર છે. કારણ કે મા કાલીનો ફોટો રશિયા સાથે કોઈ લેવાદેવા નથી. આવી સ્થિતિમાં યુક્રેને આ ઘૃણાસ્પદ કૃત્ય કેમ કર્યું, તેની પાછળ યુઝર્સ પોતપોતાની દલીલો આપી રહ્યા છે.

કેટલાક યુઝર્સનું માનવું છે કે યુક્રેન ભારતથી નારાજ છે કારણ કે ભારતે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં હજુ સુધી તેની મદદ કરી નથી. કેટલાક યુઝર્સનું માનવું છે કે ભારત અને રશિયાના સારા સંબંધો યુક્રેનને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવી સ્થિતિમાં તેણે ગુસ્સામાં આ ભૂલ કરી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

યુક્રેન સરકારને નડ્યું પોતાનું જ અભદ્ર વર્તન, મહાકાળી માતાનો વાંધાજનક ફોટો શેર કરી માંગવી પડી માફી

Related posts

સ્ટેટ મોનીટરીંગ સેલની રડારમાં ભરૂચ, નેત્રંગ બાદ અંકલેશ્વરમાં રેડ, વરલી મટકાના અડ્ડા ઉપર રેડ કરી 1.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, ભરૂચ પોલીસની કામગીરી શંકાસ્પદ

Phone: 9998685264.

બિહાર /નરાધમ પ્રેમીએ પોતાની પ્રેમિકાની દીકરીને જ બનાવી હવસનો શિકાર, અધમ કૃત્ય આચરનાર સામે ફરીયાદ

Phone: 9998685264.

આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી એ શ્રદ્ધાંજલિ અર્પિત કરી

Phone: 9998685264.

Leave a Comment