Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત ATS નું વધુ એક સફળ ઓપરેશન, અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના આરોપીને જમ્મુ-કાશ્મીરથી ઝડપી પાડ્યો

Our Visitor

000108
Total Users : 108
Total views : 207
Who's Online : 0
Views 327

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વર્ષ 2006માં થેયલા બ્લાસ્ટના આરોપીની ગુજરાત ATSએ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ કાશ્મીરમાં એક ઓપરેશન હાથ ધરી છેલ્લા 15 વર્ષથી ફરાર બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કાશ્મીરીની ધરપકડ કરી છે. આ અંગેની માહિતી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધીને આપી છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વર્ષ 2006માં અડધી રાતે દોઢ વાગ્યે બ્લાસ્ટ થયો હતો, આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. આ આતંવાદી હુમલો કરનારા 9 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બિલાલ કાશ્મીરી નામનો આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે તેને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી ઝડપી લીધો છે.

ડી. જી. પી. શ્રી આશિષ ભાટિયા સાહેબ

આશિષ ભાટિયાએ જણાવ્યું કે, દિપેન ભદ્રનના નેતૃત્વમાં એક ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી હતી, જ્યાં જમ્મુ અને કાશ્મીર પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલી ડાર છે. ગુજરાતમાં 108 કિલો ચરસ લાવવાનો આરોપી ડાર પણ 2006થી જ ફરાર હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કાશ્મીરી નામનો આતંકી 2006માં ભરૂચમાં આવેલ મદરેસામાં ભણતો હતો અને ત્યારબાદ તે લશ્કર-એ-તૌયબામાં જોડાઈ ગયો હતો. કાલુપુર બ્લાસ્ટ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બશીર કાશ્મીરી નામનો આતંકવાદી કાશ્મીરમાં એક એન્કાઉન્ટમાં ઠાર થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત ATS નું વધુ એક સફળ ઓપરેશન, અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના આરોપીને જમ્મુ-કાશ્મીરથી ઝડપી પાડ્યો

Related posts

સુમુલ ડેરીમાં આદિવાસી મહિલાઓ સાથે થતા અન્યાય અને ડેરીમાં ચાલતા મોટા ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રીને ફરીયાદ! કથિત રીતે ચાલતા ગેરવહીવટને રોકવા ઉચ્ચ અધિકારીની નિમણુંક કરી તપાસ કરાવવામાં આવે : દર્શન નાયક

Phone: 9998685264.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું સમગ્ર ગુજરાતને રાજકોટ પોલીસ ઉપર ગર્વ! ગુજરાતની બોર્ડરમાં આવતા ધ્રૂજે છે ગુનેગારો, રાજકોટ પોલીસ સતર્ક, સમર્થ, અને સશકત: ગૃહમંત્રી હર્ષ સંઘવી

Phone: 9998685264.

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

Phone: 9998685264.

Leave a Comment