Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજ્ય અને કેન્દ્રની સરકાર ભલે ડિજિટલ શિક્ષણ ઉપર ભાર આપતી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી સામે આવે છે, બનાસકાંઠામાં 45 થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા જ નથી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 270

રીતેશ પરમાર

રાજ્ય અને કેન્દ્ર સરકાર ડિજિટલ શિક્ષણ પર ભાર આપી રહી છે. પરંતુ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની સ્થિતિ દયનીય છે. બનાસકાંઠા જિલ્લામાં 48 શાળાઓ એવી છે કે જેમાં બાળકોને બેસવા માટે એક એરડાની પણ વ્યવસ્થા નથી.

વાલીઓનું આ મામલે કહેવું છે કે, કોવિડના કારણે શાળાઓ બંધ રહેવાથી ઓનલાઈન અભ્યાસ શરૂ છે પરંતુ શાળાઓ શરૂ થાય તો બાળકો ક્યાં બેસીને અભ્યાસ કરશે તે એક સવાલ છે?
બનાસકાંઠા જિલ્લામાં 1100 જેટલી પ્રાથમિક શાળાઓમાં 3 લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે જિલ્લાની 48 શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા ન હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

આ શાળાઓ એવી છે જેમાં ઓરડા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોવાના કારણે ઉતારી લેવામાં આવ્યા છે. આ પછી અનેક શાળાઓ એવી છે જ્યાં હજી ઓરડા બાંધવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી નથી.

ઓરડાની ઘટ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, આ મામલે સરકારના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સરકારના નવા બજેટમાં આ મામલે ધ્યાન દોરીશું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજ્ય અને કેન્દ્રની સરકાર ભલે ડિજિટલ શિક્ષણ ઉપર ભાર આપતી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી સામે આવે છે, બનાસકાંઠામાં 45 થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા જ નથી

Related posts

કાબુલમાં યુક્રેનના વિમાનને હાઈજેક કરાયું, પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અફઘાનિસ્તાન પહોંચ્યું હતું વિમાન,

Phone: 9998685264.

મહીસાગર / સંતરામપુરમાં ST બસની અડફેટમાં બાઈક આવી જતા બે સગા ભાઈઓ સહીત 3 ના કરુણ મોત, ST બસની ટક્કરથી 100 મીટર સુધી ઘસડાયું બાઈક

Phone: 9998685264.

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Phone: 9998685264.

Leave a Comment