Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ /આરપીએફના પીઆઈને ડિગ્રેડ કરી પીએસઆઈ બનાવતા છેલ્લા દસ દિવસથી લાપતા, પત્નીએ આક્ષેપ કર્યો કે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે મારા પતિ ગુમ થયા,

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 245

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટ રેલવેમાં આરપીએફના પીઆઇને ડીગ્રેડ કરી પીએસઆઇ બનાવતા દસ દિવસથી લાપતા બન્યાનું પ્રકાશમાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. મુંબઇ ખાતે ફરજ બજાવી બે વર્ષથી સજારૂપી બદલી થયેલા પીઆઇએ વતનમાં મકાન બનાવવા માટે માગેલી રજા નામંજુર થતા ગુમ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના જયપુરના વતની અને રાજકોટના કોઠારિયા રોડ પર આલિશાન એપાર્ટમેન્ટમાં રહેતા આરપીએફના પીઆઇ બલરામભાઇ માનસીંગભાઇ ફોજદાર ગત તા.૬ જાન્યુઆરીએ પોતાના ઘરે ઓફિસે મિટીંગ હોવાનું કહીને નીકળ્યા બાદ જ સુધી પરત ન આવતા બલરામભાઇ ફોજદારની પત્ની અમૃતાબેન ફોજદારે ભક્તિનગર પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી છે.

બલરામભાઇ ફોજદાર મુંબઇ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે એલએલબી કરવા માટે રજાની માગણી કરતા તેઓની રજા મંજુર થઇ ન હોવાથી તેઓ ૧૫૦ દિવસની રજા વિના ગેર હાજર રહેતા તેઓને રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હતી.રાજકોટ ખાતે આરપીએફમાં પીઆઇ તરીકે હાજર થયેલા બલરામભાઇ ફોજદારે પોતાના વતનમાં મકાન બનાવવા બાબતે રજાની માગણી કરતા તેઓની રજા મંજુર થઇ ન હતી. બીજી તરફ તેઓને પીઆઇમાંથી ડીગ્રેડ કરી પીએસઆઇ બનાવતા તેઓ ગત તા.૬ જાન્યુઆરીએ ગુમ થયાનો તેમની અમૃતાબેન ફોજદારે આક્ષેપ કર્યો છે. તેમજ તેમના પતિ બલરામભાઇ ફોજદારને ઉપરી અધિકારીઓ દ્વારા ત્રાસ દેવામાં આવતો હોવાથી ભેદી રીતે લાપતા બન્યાનું જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ /આરપીએફના પીઆઈને ડિગ્રેડ કરી પીએસઆઈ બનાવતા છેલ્લા દસ દિવસથી લાપતા, પત્નીએ આક્ષેપ કર્યો કે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે મારા પતિ ગુમ થયા,

Related posts

તારક મહેતાની બબીતાજી નો દિલ જેઠાલાલ સાથે નહી પણ તેના પુત્ર ટપ્પુ સાથે મળી ગયો,9 વર્ષ નાના ટપ્પુ સાથે થયો પ્રેમ,

Phone: 9998685264.

પતિ જેલમાં જતાં મહિલા બની બુટલેગર! 600 બોટલ સાથે પકડાઈ, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

Phone: 9998685264.

રૂપાલા સામે ભારે વિરોધ! ક્ષત્રિય સમાજની 100 જેટલી મહિલાઓ નોંધાવશે ઉમેદવારી, ભાજપના ઉમેદવારોએ ગામમાં એન્ટ્રી કરવી નહી….

Phone: 9998685264.

Leave a Comment